fbpx
રાષ્ટ્રીય

જ્ઞાનવાપી મસ્જિદ-પરિસર મામલે ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રીનું નિવેદન

ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનો મામલો આ દિવસોમાં ચર્ચામાં છે. તેના સર્વેને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર હાઈકોર્ટ ૩ ઓગસ્ટે પોતાનો ર્નિણય આપશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે મોટું નિવેદન આપ્યું છે. યોગી આદિત્યનાથ કહે છે કે જાે તેને (જ્ઞાનવાપી) મસ્જિદ કહેવામાં આવે તો વિવાદ થશે. ન્યૂઝ એજન્સી છદ્ગૈંને આપેલા ઈન્ટરવ્યુમાં યોગી આદિત્યનાથે કહ્યું, ‘જાે આપણે તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. મને લાગે છે કે જેને ભગવાને દ્રષ્ટિ આપી છે, તેણે જાેવું જાેઈએ કે મસ્જિદમાં ત્રિશુલ શું કરે છે. જ્યોતિર્લિંગ છે, ભગવાનની મૂર્તિઓ છે, દિવાલો બૂમો પાડીને કહી રહી છે, મુસ્લિમ સમાજ તરફથી આ પ્રસ્તાવ આવવો જાેઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે, તેનું નિરાકરણ આવવું જાેઈએ.

ઝ્રસ્ના નિવેદન પર પ્રતિક્રિયા સામે આવી… ડૉ.એસ.ટી.હસને પણ મુખ્યમંત્રી યોગીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેઓ કહે છે કે ૨૦૨૪ની તૈયારીઓ થઈ રહી છે, જાે ત્યાં ૩૫૦ વર્ષથી નમાઝ થઈ રહી છે તો તેઓ તેને મસ્જિદ નહીં કહે તો શું કહેશે. મુખ્યમંત્રીએ આવું નિવેદન ન આપવું જાેઈએ, તે શું છે તે તપાસમાં સ્પષ્ટ થશે. એસટી હસને કહ્યું કે જાે સંસદ પર ત્રિશુલ બનાવવામાં આવશે તો સંસદ પણ મંદિર કહેવાશે.

મુસ્લિમોએ હંમેશા મોટું દિલ બતાવ્યું છે, આવું બાબરી વખતે પણ થયું હતું. તમને જણાવી દઈએ કે જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી સંબંધિત મામલો હજુ પણ કોર્ટમાં છે, અહીં કેટલીક મહિલાઓએ મસ્જિદ પરિસરમાં સ્થિત શ્રૃંગાર ગૌરી વિસ્તારમાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી. આ અરજીમાં સર્વેની માંગણી કરવામાં આવી હતી, સ્થાનિક કોર્ટના આદેશ પર ભૂતકાળમાં આ સંકુલનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો, જેના પર મુસ્લિમ સમાજે વાંધો ઉઠાવ્યો હતો. હિંદુ પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદની અંદર શિવલિંગ આવેલું છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને ફુવારો ગણાવી રહ્યું છે. હવે જ્યારે છજીૈંએ સર્વે શરૂ કર્યો તો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જેના પર કોર્ટે દખલ કરવાનો ઇનકાર કર્યો અને હાઈકોર્ટમાં જવા કહ્યું. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરી અને ૩ ઓગસ્ટે ચુકાદો આપવા જણાવ્યું. ત્યાં સુધી છજીૈંના સર્વે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સીએમ યોગીએ બીજું શું કહ્યું? તે જણાવીએ તો, ન્યૂઝ એજન્સી છદ્ગૈંને આપેલા ઈન્ટરવ્યુમાં સીએમ યોગીએ ઘણી મહત્વની વાતો કહી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે હું છેલ્લા ૬ વર્ષથી યુપીનો સીએમ છું, અહીં એક પણ હુલ્લડ નથી થયુ, કોઈ ચૂંટણીમાં હિંસા થઈ નથી. પશ્ચિમ બંગાળમાં કેવી રીતે ચૂંટણી હિંસા થઈ રહી છે. આવા લોકો સત્તામાં આવ્યા પછી અનેક બાબતોને કેદ કરવા માંગે છે. વિપક્ષી ગઠબંધન ભારત પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે તેને આ નામથી બોલાવવું જાેઈએ નહીં, કોઈના કપડાં બદલવાથી ભૂતકાળના કાર્યોમાંથી મુક્તિ મળતી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/