દિલ્હી ખાતે શિપિંગ મંત્રાલયની બેઠક
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-01-at-11.12.40-AM-1-1140x620.jpeg)
દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં તારીખ:-29-07-2023 ના રોજ પોર્ટ શિપિંગ જળમાર્ગ અને આયુષ મંત્રાલયની હિન્દી સલાહકાર સમિતિની બેઠક આસામના પૂર્વ મુખ્યમંત્રી અને આ વિભાગના કેબિનેટ મંત્રી તથા સમિતિના ચેરમેન શ્રી સર્વાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ આ બેઠકમાં રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકોર તથા શ્રીપાદ નાયક તેમજ લોકસભાના ત્રણ સાંસદ સભ્ય શ્રીઓ અને રાજ્યસભાના પણ ત્રણ સાંસદ સભ્યો સહિત આ વિભાગના સચિવ શ્રી ટી.કે રામચંદ્રન અગ્ર સચિવ શ્રી અગ્રીમ કૌશલ સંયુક્ત સચિવ શ્રી અજયપાલ શિરોહી સહાયક નિર્દેશક શ્રી સંગીતા તોપનો સહિત સમિતિના સદસ્યો અને મંત્રાલયના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને સૂચનો કરેલ. શ્રી દીપક વઘાસીયા એ માનનીય કેબિનેટ મંત્રી શ્રી શર્બાનંદ સોનોવાલ તથા અન્ય મહાનુભાવોને ગીરની શાન કેસરી “સિંહ” ની ચિત્ર પ્રતિમા ભેટ આપી અને સ્વાગત અભિવાદન કરેલ. તેમના અસલ કાઠિયાવાડી સ્વાગત અંગે તમામે શુભેચ્છા વ્યક્ત કરી.
Recent Comments