રાહુલ ગાંધીને સાંસદ પદ પરત મળ્યું, ૨ વર્ષની સજા પર પ્રતિબંધ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/File-01-Page-04-4-1140x620.jpg)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે, સોમવારે સત્રની શરૂઆત પહેલા લોકસભા સચિવાલય દ્વારા તેની નોટિસ જાહેર કરવામાં આવી છે. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે ૨ વર્ષની સજા ફટકારી હતી, જેના પર ગયા શુક્રવારે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીને સંસદ સભ્યપદ પરત મળી ગયું છે. લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ૨૪ માર્ચે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી, જેના પર હવે સુપ્રીમ કોર્ટનો નવો આદેશ આવ્યો છે અને સજા પર રોક લગાવવામાં આવી છે. ૪ ઓગસ્ટના આદેશ બાદ વાયનાડના પ્રતિનિધિ રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. અહીં રાહુલનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થયું અને બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય અને ૧૦ જનપથની બહાર ઉજવણી શરૂ થઈ ગઈ.
અહીં કોંગ્રેસના સમર્થકો ઢોલના તાલે નાચતા અને તેમના નેતાની તરફેણમાં આવેલા ચુકાદાની ઉજવણી કરતા જાેવા મળ્યા હતા. રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ એવા સમયે પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે જ્યારે ૮ ઓગસ્ટથી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. આ ચર્ચા ૮થી ૧૦ ઓગસ્ટ સુધી સંસદમાં થશે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ ઓગસ્ટે નિવેદન આપશે. હવે જાેવાનું એ રહેશે કે રાહુલ ગાંધી કોંગ્રેસ વતી આ ચર્ચામાં ભાગ લેશે કે નહીં. મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલને સુરતની કોર્ટે ૨ વર્ષની સજા ફટકારી છે. તેની સામે કોંગ્રેસે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ રાહત મળી ન હતી. જાે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં રાહત આપતાં ૨ વર્ષની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કડક ટીપ્પણી કરી હતી કે આવા કેસમાં આ મહત્તમ સજા છે, જ્યારે નીચલી કોર્ટે ૨ વર્ષની સજાને યોગ્ય ઠેરવતી એવી કોઈ દલીલ આપી નથી. આ કેસમાં ઓછી સજા થઈ શકી હોત. આમ કહીને સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી, ત્યારબાદ રાહુલ ગાંધીને સંસદમાં જવાનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
Recent Comments