fbpx
રાષ્ટ્રીય

એન્જિન ફેલ થયા બાદ પણ ચંદ્રયાન-૩નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે!..

ભારતના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-૩નું લેન્ડર વિક્રમ ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડ કરવામાં સક્ષમ હશે, પછી ભલે તેના તમામ સેન્સર અને બંને એન્જિન નિષ્ફળ જાય. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ૈંજીઇર્ં)ના અધ્યક્ષ એસ. સોમનાથે મંગળવારે આ વાત કહી હતી. બિન-લાભકારી સંસ્થા દિશા ભારત દ્વારા આયોજિત ચંદ્રયાન-૩ ભારતના ગૌરવ અવકાશ મિશન વિષય પરની વાતચીત દરમિયાન, સોમનાથે જણાવ્યું હતું કે લેન્ડર ‘વિક્રમ’ની સંપૂર્ણ ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે તે નિષ્ફળતાને નિયંત્રિત કરવામાં સક્ષમ હશે. સોમનાથે કહ્યું કે જાે બધું નિષ્ફળ જાય, જાે બધા સેન્સર નિષ્ફળ જાય, કોઈ વસ્તું કામ ન કરે, તો પણ તે (વિક્રમ) ઉતરશે. પ્રોપલ્શન સિસ્ટમ સારી રીતે કામ કરે તે રીતે તેને રીતે ડિઝાઈન કરવામાં આવી છે. ચંદ્રયાન-૩ને ૧૪ જુલાઈએ અવકાશમાં છોડવામાં આવ્યું હતું અને તે ૫ ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. તેને ચંદ્રની નજીક લાવવા માટે વધુ ત્રણ ડી-ઓર્બિટીંગ ફરવું પડશે, જેથી વિક્રમ ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે

. સોમનાથે કહ્યું કે આ ડી-ઓર્બિટીંગ કવાયત ૯ ઓગસ્ટ, ૧૪ ઓગસ્ટ અને ૧૬ ઓગસ્ટના રોજ થશે. ઈસરોના ચીફ સોમનાથે જણાવ્યું કે જ્યારે લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ જશે ત્યારે તેને ચંદ્ર પર સુરક્ષિત રીતે ઉતરવા માટે વર્ટિકલ રીતે લાવવામાં આવશે. આ મહત્વપૂર્ણ છે, કારણ કે અગાઉ ચંદ્રયાન-૨ મિશન દરમિયાન, ૈંજીઇર્ં તેના લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારવામાં સફળ રહ્યું ન હતું. સોમનાથે કહ્યું કે આડીથી ઊભી દિશામાં સ્થાનાંતરિત કરવાની ક્ષમતા એ એક પ્લાન છે જેને આપણે બરાબર રાખવાનો છે, છેલ્લી વખત માત્ર આ સમસ્યા આવી અને મિશન નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન ૩ મિશનની અત્યાર સુધીની બનેલ ઘટનાઓ જે જણાવીએ તો, ૧૪ જુલાઈ, ૨૦૨૩ના દિવસે ઈસરોએ બપોરે ૨.૩૫ કલાકે ચંદ્રયાન ૩ને સફળતાપૂર્વક લોન્ચ કર્યુ – ૧૫ જુલાઈ, ૨૦૨૩ના દિવસે ચંદ્રયાનના સ્પેસક્રાફ્ટે ફાયરિંગની મદદથી પૃથ્વીની પ્રથમ ભ્રમણકક્ષામાં ફરવાનું શરુ કર્યુ – ૧૭ જુલાઈ, ૨૦૨૩ના દિવસે ચંદ્રયાન ૩ પૃથ્વીની બીજી ભ્રમણકક્ષામાં પહોંચ્યું – ૧૮ જુલાઈ, ૨૦૨૩ના દિવસે ચંદ્રયાન ૩ પૃથ્વીની ત્રીજી ભ્રમણકક્ષામાં પહોંચ્યું – ૨૦ જુલાઈ, ૨૦૨૩ના રોજ ચંદ્રયાન ૩એ પૃથ્વીની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો – ૨૫ જુલાઈ, ૨૦૨૩ના દિવસે ચંદ્રયાન ૩એ પૃથ્વીની અંતિમ અને પાંચમી ભ્રમણકક્ષામાં ભ્રમણ કરવાનું શરુ કર્યુ – ૧ ઓગસ્ટની મધરાત્રે ૧૨ થી ૧ કલાકની વચ્ચે ચંદ્રયાન ૩એ પૃથ્વીની કક્ષા છોડી ચંદ્ર તરફ પ્રયાણ કર્યું છે – ૫ ઓગસ્ટે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન ૩એ પ્રવેશ કર્યો… અત્યાર સુધીની આ પ્રમાણે ઘટનાઓ બનેલ છે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/