fbpx
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તના જવાબમાં સંસદમાં વડાપ્રધાનના સંબોધન બાદ અભિનેત્રીનું નિવેદનભારતને તેના નેતા પર વિશ્વાસ છે ઃ ગાયિકા મેરી મિલબેનયુએસ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સાથે મેરી મિલબેન થઇ હતી મુલાકાત

આફ્રિકન-અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેન (સ્ટ્ઠિઅ સ્ૈઙ્મઙ્મહ્વીહ) ગુરુવારે મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સામે આવી છે. તેમણે કહ્યું કે તેઓ હંમેશા પૂર્વોત્તર રાજ્યના લોકો માટે લડતા રહેશે. અભિનેત્રીનું નિવેદન ભાજપ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તના જવાબમાં સંસદમાં પીએમ મોદીના સંબોધન પછી આવ્યું. તેમના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર, મેરી મિલબેને કહ્યું કે ભારતને તેના નેતામાં વિશ્વાસ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિપક્ષ કોઈપણ તથ્યો વિના જાેરથી સૂત્રોચ્ચાર કરી રહ્યો છે. મિલબેને કહ્યું કે તેમને પીએમ મોદીમાં વિશ્વાસ છે અને તે તેમના માટે પ્રાર્થના કરી રહી છે. તેમણે સ્વર્ગસ્થ અમેરિકન નાગરિક અધિકાર નેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના નિવેદન ‘લેટ ફ્રીડમ રિંગ’ને પણ ટાંક્યું હતું. મેરી મિલબેને ટિ્‌વટમાં લખ્યું છે કે ભારતને તેના નેતામાં વિશ્વાસ છે. મણિપુરની માતાઓ, દિકરીઓ અને મહિલાઓને ન્યાય મળશે. પીએમ મોદી હંમેશા તમારી આઝાદી માટે લડશે. તેમણે કહ્યું હતું કે જે પક્ષ સાંસ્કૃતિક વારસાનું અપમાન કરે છે, બાળકોને તેમના દેશનું રાષ્ટ્રગીત ગાવાના અધિકારથી વંચિત રાખે છે અને વિદેશમાં પોતાના દેશનું અપમાન કરે છે તે નેતૃત્વ નથી. તે સિદ્ધાંતવિહીન છે. તેમણે વધુમાં કહ્યું કે અપ્રમાણિક પત્રકારત્વ ખોટા વર્ણનો દોરશે. વિપક્ષનો અવાજ કોઈ પણ તથ્ય વગર બૂમો પાડશે. પરંતુ સત્ય હંમેશા લોકોને મુક્ત કરશે. તેમણે કહ્યું કે મારા પ્રિય ભારત, સત્યને વાગવા દો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મને તમારામાં વિશ્વાસ છે.
હકીકતમાં, આ વર્ષે જૂનમાં મિલબેન પીએમ નરેન્દ્ર મોદીને તેમની અમેરિકા મુલાકાત દરમિયાન મળ્યા હતા. તેમણે વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગમાં ભારતનું રાષ્ટ્રગીત ગાયું હતું, જ્યાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. ‘જન ગણ મન’ ગાઈને મેરીએ પીએમ મોદીનું અભિવાદન કર્યું અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે અને મહિલાઓ સામેના ગુનાઓમાં સામેલ લોકો માટે સખત સજાનું “આશ્વાસન” આપ્યુ છે. તેમણે કહ્યું કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ગંભીર છે અને તે અક્ષમ્ય છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર બંને સરકાર આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે આગામી સમયમાં મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત થશે. પીએમે કહ્યું કે હું મણિપુરની મહિલાઓ અને દીકરીઓ સહિત મણિપુરના લોકોને કહેવા માંગુ છું કે દેશ તમારી સાથે છે. તેમણે કહ્યું કે વિપક્ષ પાસે મણિપુર પર ચર્ચા કરવાની હિંમત અને ઈરાદો નથી. ઉલ્લેખનીય છે કે વિપક્ષે મણિપુરના મુદ્દે એનડીએ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમે વિપક્ષને મણિપુર પર ચર્ચા માટે આવવા કહ્યું હતું. ગૃહમંત્રીએ તેમને મણિપુર પર ચર્ચા કરવા માટે પત્ર લખ્યો હતો. પરંતુ તેનામાં હિંમત અને દૃઢ નિશ્ચય ન હતો. આ દરમિયાન જ્યારે પીએમ મોદી પ્રસ્તાવ પર બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/