fbpx
રાષ્ટ્રીય

હિમાચલને ડિઝાસ્ટર ઝોન જાહેર, ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ઘણા જિલ્લાઓ પ્રભાવિત૧૭૦૦૦ જગ્યાએ ભૂસ્ખલનનો છે ખતરો, અત્યાર સુધીમાં ૭૭૦૦ કરોડથી વધુનું નુકસાન થયું

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં ૭૪ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને વરસાદના કારણે ૭૭૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. શિમલા પર સતત ભૂસ્ખલનનો ખતરો છે. રાજ્યના ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત છે. લેન્ડસ્લાઈડ વિસ્તારોમાં એનડીઆરફીની ટીમ સતત તૈયાર છે. તે રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે જાે જૂનથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો રાજ્યમાં કુદરતી આફતોના કારણે ૩૩૦ થી વધુ લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ ઘણી વધી ગઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું છે કે આજથી રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ માટે આઈએમડીએ હિમાચલના ૧૦ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે હિમાચલમાં શુક્રવારે ૬૫ મકાનો ધરાશાયી થયા અને ૨૭૧ને નુકસાન થયું. ૮૭૫ રસ્તાઓ બંધ છે. અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. હિમાચલ પ્રદેશમાં પણ જાેશીમઠ જેવો ખતરો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં ૧૭ હજાર સ્થળોએ ભૂસ્ખલનનો ખતરો છે. તેમાંથી ૧૩૫૭ જગ્યાઓ માત્ર શિમલામાં જ છે. ભારે વરસાદમાં માટી સતત ફુલી રહી છે, જેના કારણે રસ્તાઓ અને મકાનો ડૂબવા લાગ્યા છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાખંડના જાેશીમઠમાં મકાનો, રસ્તાઓ અને હોટલોમાં તિરાડો પડી જવાને કારણે લોકોને બેઘર થઈ ગયા હતા. અત્યાર સુધી લોકો રાહત કેપમાં શરણાર્થીઓ તરીકે જીવી રહ્યા છે.

જાેશમીઠમાં ગેરકાયદે બાંધકામ પણ આ માટે જવાબદાર હોવાનું કહેવાય છે. રાજ્યના ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત છે. પરંતુ શિમલા પર એક મોટો ખતરો જાેવા મળી રહ્યો છે. શિમલામાં જ લેન્ડસ્લાઈડને કારણે ૨૧ લોકોના મોત થયા હતા. સમર હિલમાંથી ૧૪, ફાગલીમાંથી ૫ અને કૃષ્ણા નગરમાંથી ૨ મૃતદેહ મળી આવ્યા છે. શિવ મંદિરના કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટના આધારે હિમાચલને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. હિમાચલમાં સુખવિંદર સિંહ સુખુની સરકારે રાજ્યને કુદરતી આફતથી પ્રભાવિત વિસ્તાર જાહેર કર્યો અને શુક્રવારે તેનું નોટિફિકેશન પણ બહાર પાડ્યું. આ સાથે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ કેન્દ્ર સરકારને આર્થિક મદદ માટે અપીલ કરી છે. તે દિલ્હી પહોંચી ગયા છે, જ્યાં તેઓ આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી ર્નિમલા સીતારમણને મળી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/