fbpx
રાષ્ટ્રીય

મલ્લિકાર્જૂન ખડગેએ BJP-BRS પર પ્રહાર કર્યાહૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું,”અમિત શાહને કહેજાે કે ઈસરોનું નિર્માણ કોંગ્રેસે કર્યું હતું..”

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેલંગાણામાં નેતાઓની મુસાફરીમાં વધારો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શનિવારે અહીં પહોંચ્યા હતા અને આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્યાં જશે. શાહની તેલંગાણાની મુલાકાતના એક દિવસ પહેલા ખડગેએ તેમના પર પ્રહારો કર્યા હતા. હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કાલે જ્યારે અમિત શાહ અહીં આવશે તો તેમને કહેજાે કે ઈસરોનું નિર્માણ કોંગ્રેસે કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજકાલ અમિત શાહ જી પૂછી રહ્યા છે કે કોંગ્રેસે ૫૩ વર્ષમાં શું કર્યું, તો તેમને અમારું રિપોર્ટ કાર્ડ કહો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આઝાદી બાદ કોંગ્રેસે ૫૬૨ રજવાડાઓને દેશમાં ભેળવી દીધા. સરદાર પટેલે દેશને એક કર્યો.

આંબેડકરજી અને કોંગ્રેસે દેશને બંધારણ આપ્યું. તેમણે કહ્યું કે ૈંૈં્‌, ૈંસ્સ્, છૈંૈંસ્જી, ૈંજીઇર્ં, ડ્ઢઇર્ડ્ઢં, ૐછન્, ર્ંદ્ગય્ઝ્ર, મ્ઈન્, જીછૈંન્ આ તમામ પંડિત નેહરુ અને કોંગ્રેસની ભેટ છે. તેમણે કહ્યું કે જે દેશમાં એક સોય પણ બનતી નથી, અમે ત્યાં મોટી ફેક્ટરીઓ લગાવી છે. હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈ, કોલકાતા, દિલ્હી, કાનપુર – અમે દરેક જગ્યાએ ફેક્ટરીઓ બનાવી. આ કોંગ્રેસની ભેટ છે. પરંતુ ભાજપના લોકો જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસ વિરુદ્ધ બોલે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજે અમે એકજૂથ છીએ અને કેન્દ્રમાંથી મોદી સરકારને હટાવવા માટે તૈયાર છીએ. પરંતુ કેસીઆર એક પણ બેઠકમાં હાજર રહ્યા ન હતા અને તેમણે આંતરિક રીતે ભાજપ સાથે સાંઠગાંઠ કરી હતી. ભાજપ અને બીઆરએસ હવે મિત્ર બની ગયા છે.

જ્યારે અંદરનો સોદો હોય છે, ત્યારે તેઓ એકબીજા સામે બોલી શકતા નથી. તેમણે કહ્યું કે અમે સતત બેઠકો કરી રહ્યા છીએ અને અમારો ઉદ્દેશ્ય ભાજપ સરકાર અને તેના સમર્થક કેસીઆરને હટાવવાનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે ૧૯૪૭માં દેશમાં સાક્ષરતા દર માત્ર ૧૮ ટકા હતો, પરંતુ અમે તેને ૭૪ ટકા સુધી લઈ ગયા. મોદી, શાહ, કેસીઆર બધા એમાં ભણેલા હતા. આજે તેઓ અમને પૂછે છે કે ૫૩ વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? તેમણે કહ્યું કે કોંગ્રેસ વિચારધારાવાળી પાર્ટી છે. ઈન્દિરા ગાંધીજી, રાજીવ ગાંધીજીએ દેશની એકતા માટે પોતાનો જીવ આપી દીધો. આજે રાહુલ ગાંધીજી દેશની સંસદમાં જનતા માટે વાત કરે છે, તેથી તેમને બરતરફ કરવામાં આવ્યા, પરંતુ તેઓ ગભરાયા નહીં અને લોકો માટે કામ કરતા રહ્યા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/