fbpx
રાષ્ટ્રીય

ભારત G૨૦ દેશોમાં અમેરિકા અને ચીનને પાછળ છોડી પહેલા કમાંક પર..ભારતીય શેરબજાર રિટર્નના મામલે અવ્વ્લ

ય્૨૦ દેશોની બેઠક પહેલા ભારત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારથી અમેરિકા(છદ્બીિૈષ્ઠટ્ઠ)ની ઉંઘ ઉડી ગઈ છે તો બીજી તરફ શી જિનપિંગ મીટિંગમાં હાજર ન રહેવા સાથે ચિંતાતુર બન્યા છે. હા, ભારત આ બંને દેશોને હરાવીને નંબર-૧ બની ગયું છે. હકીકતમાં, ભારતે વૈશ્વિક શેરબજારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે અને અમેરિકા અને ચીનના શેરબજારોને પાછળ છોડી દીધા છે. ભારતનું શેરબજાર વળતર આપવાની બાબતમાં નંબર-૧ના સ્થાને પહોંચી ગયું છે. વિશ્વના સૌથી મોટા બજારોમાંના એક ભારતીય શેરબજારે છેલ્લા ૧૦ વર્ષમાં રોકાણકારોને લગભગ ૧૧ ટકા વળતર આપ્યું છે જ્યારે ચીન અને અમેરિકાના બજારોનું વળતર ભારત કરતા ઘણું ઓછું છે. અમે તમને એ પણ જણાવીએ કે અમેરિકા અને ચીનની સાથે વિશ્વના બાકીના બજારોએ રોકાણકારોને કેટલું વળતર આપ્યું છે.

છજીદ્ભ રિપોર્ટની હાઈલાઈટ્‌સ… ભારતીય શેરબજારે ત્રણ વર્ષ, પાંચ-વર્ષ અને ૧૦-વર્ષના આધારે વિશ્વના મુખ્ય બજારો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. – છજીદ્ભ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ દ્વારા એક અહેવાલ મુજબ નિફ્ટી લાર્જ કેપ ઇન્ડેક્સે છેલ્લા ૧૦ વર્ષમાં વાર્ષિક ૧૦.૯ ટકા વળતર આપ્યું છે જ્યારે યુએસ ઇન્ડેક્સે ૬ ટકા અને ચીનના બજારે ૨.૭ ટકાનું વળતર આપ્યું છે. – જાે છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો ભારતીય બજારોએ રોકાણકારોને વાર્ષિક ૧૮.૮ ટકા વળતર આપ્યું છે. યુએસ ઇન્ડેક્સ ૬.૯ ટકા, જાપાન ઇન્ડેક્સ ૧૨.૧ ટકા અને યુએસ ઇન્ડેક્સ ૭.૬ ટકા હતો. – છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય બજારોનું વાર્ષિક વળતર ૬.૧ ટકા રહ્યું છે જે યુએસ અને યુકેના સૂચકાંકો કરતાં વધુ છે અને ઇન્ડોનેશિયન બજારના ૬.૩ ટકા કરતાં થોડું ઓછું છે. – રિપોર્ટ અનુસાર વર્તમાન કેલેન્ડર વર્ષ સામાન્ય રીતે બજાર માટે ખૂબ જ મજબૂત રહ્યું છે. લાર્જ કેપ ઈન્ડેક્સ (નિફ્ટી) એ ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં રોકાણકારોને ૬ ટકા વળતર આપ્યું છે.

– મિડકેપ ઈન્ડેક્સ અને સ્મોલ કેપ ઈન્ડેક્સએ અનુક્રમે ૨૩ ટકા અને ૨૭ ટકા વળતર આપ્યું છે. – જર્મની, ફ્રાન્સ, મેક્સિકો, જાપાન અને અન્ય દેશોએ અલગ-અલગ કાર્યકાળમાં ભારત કરતાં વધુ વળતર આપ્યું છે. – ભારતે લાંબા ગાળામાં ઊંચું વળતર આપ્યું છે. ૩/૫/૧૦ વર્ષના આધાર પર, ભારતનું પ્રદર્શન અન્ય બજારો કરતા સારું રહ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં, ડીએસપી એસેટ મેનેજર્સે તેના દ્ગઈ્‌ઇછ જૂન ૨૦૨૩ના અહેવાલ ‘ચાર્ટ્‌સ દ્વારા પ્રારંભિક સંકેતો’ જાહેર કર્યું હતું કે છેલ્લા ૧૨૩ વર્ષોમાં, ભારતીય શેરબજારે ૬.૬ ટકાનું વાસ્તવિક વળતર આપ્યું છે, જે યુએસ અને ચીનના બજારો કરતાં વધુ સારું છે. તે જ સમયે, વિશ્વ ઇક્વિટી બજારો દ્વારા આપવામાં આવતું વળતર પણ વધુ છે. આનો અર્થ એ થયો કે ભારતે ૧૯૦૦ થી ૬.૬ ટકાના સીએજીઆરના દરે રોકાણકારોની સંપત્તિમાં વધારો કર્યો છે, જે યુનાઇટેડ સ્ટેટ્‌સના ૬.૪ ટકા અને ચીનના ૩.૩ ટકાથી વધુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/