fbpx
રાષ્ટ્રીય

મણિપુરના ઉખરુલમાં ૫.૧ ની તીવ્રતાનો ભૂકંપ

મણિપુરમાં સોમવારે રાત્રે ૧૧.૦૧ કલાકે આ ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. તમને જણાવી દઈએ કે ૨૧ જુલાઈએ ઉખરુલ જિલ્લામાં ૩.૫ની તીવ્રતાનો બીજાે ભૂકંપ આવ્યો હતો. મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે રાત્રે ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર (દ્ગજીઝ્ર) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૧ માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ ૨૦ કિલોમીટર હતી. આ પહેલા બંગાળની ખાડીમાં જીજાંગ, તિબેટ અને મોરોક્કોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

દરમિયાન મંગળવારે આંદામાન સમુદ્રમાં ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દ્ગઝ્રજી અનુસાર, ભૂકંપ મંગળવારે સવારે ૩.૩૯ વાગ્યે આવ્યો હતો અને તે ૯૩ કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. સોમવારે વહેલી સવારે બંગાળની ખાડીમાં ૪.૪ની તીવ્રતાનો બીજાે ભૂકંપ આવ્યો હતો. દ્ગઝ્રજી, જે દેશમાં ભૂકંપની ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી છે, તેણે કહ્યું કે ભૂકંપ ૭૦ કિમીની ઊંડાઈએ નોંધાયો હતો. દ્ગઝ્રજી અનુસાર, મંગળવારે વહેલી સવારે આંદામાન સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ ૯૩ કિમી હતી. આ ભૂકંપ ૩ઃ૨૯ મિનિટ ૩૦ સેકન્ડ પર આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/