fbpx
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં બાબા વિરુદ્ધ FIR ની માંગ લોકોએ કહ્યું,”કાર્યવાહી નહીં થાય તો, ધર્મ બદલી નાખીશું..”

મધ્યપ્રદેશના છતરપુરના રહેવાસી પ્રસિદ્ધ કથાકાર અને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર એક વાર ફરી વિવાદમાં છે. આ વખતે તેમની સામે આરોપ છે કે તેમણે દલિત બસોર (બાંશકર) સમુદાય પર વાંધાજનક ટિપ્પણી કરી છે. જેના કારણે આ સમાજ અપમાનની લાગણી અનુભવી રહ્યો છે. ત્યારે આ મામલે સમાજ વતી પોલીસને અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. વાસ્તવમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના દિવ્ય દરબારમાં એક યુવક સાથે વાત કરી રહ્યા હતા. જ્યારે યુવકે બાબા બાગેશ્વરના પેમ્પલેટ પર વાંધો ઉઠાવ્યો તો બાબા ગુસ્સે થઈ ગયા અને સ્ટેજ પરથી જ યુવકને પડકારવા લાગ્યા. ત્યારે યુવકે કહ્યું કે તે પણ બ્રાહ્મણ જ્ઞાતિનો છે.

આના પર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ગુસ્સામાં કહ્યું, ‘મૈં ક્યાં બસોર હું?’ આ પછી બાબા અને સ્ટેજ પર બેઠેલા યુવક વચ્ચે લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો. બાબાએ ૨જી સપ્ટેમ્બરે આ નિવેદન આપ્યું હતું. તેના અન્ય વીડિયોની જેમ આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. અન્ય ચેનલોએ પણ તેમના એકાઉન્ટમાંથી તેનો આ વાયરલ વીડિયો શેર કર્યો છે. જેમાં બાબાને આવું કહેતા સ્પષ્ટ સાંભળી શકાય છે. આ ઘટના ત્યારે બની જ્યારે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજસ્થાનના સીકરમાં હતા. જેનાથી દુઃખી થઈને છતરપુરના દલિત બસોર સમુદાયે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બસોર સમુદાયના લોકોએ આરોપ લગાવ્યો છે કે રાજસ્થાનના બાગેશ્વર બાબાએ સીકરના ખુલ્લા મંચ પરથી સમાજનું અપમાન કર્યું છે. તેમના નિવેદન બાદ સમાજના લોકો અપમાનની લાગણી અનુભવી રહ્યા છે.

બસોર સમુદાયના લોકોએ ચેતવણી આપી છે કે જાે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં નહીં આવે તો તેઓ દેશભરમાં મોટું આંદોલન ચલાવશે. એટલું જ નહીં, બસોર સમુદાયના અગ્રણી લોકોએ કહ્યું છે કે જાે બાગેશ્વર બાબા સામે કેસ નોંધવામાં નહીં આવે તો તેઓ સમગ્ર દેશમાં આંદોલન ચલાવશે અને બસોર સમુદાય છોડીને બૌદ્ધ ધર્મમાં જાેડાશે. દમોહ જિલ્લામાં પણ બસોર બેન બંશકર સમુદાયના લોકોએ બાબા વિરુદ્ધ કેસ નોંધવા માટે મેમોરેન્ડમ આપ્યું છે. તેમની માંગ છે કે બાબા પર દલિત અત્યાચારનો કેસ નોંધવો જાેઈએ. જિલ્લાના તેંદુખેડમાં લોકો બાબા બાગેશ્વર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/