fbpx
રાષ્ટ્રીય

મોંઘવારીના કારણે જાેકી, ડોલર અને રૂપાના વેચાણમાં ઘરખમ ઘટાડો

તહેવારોની સિઝનમાં લોકોએ ફરી એકવાર કપડાંની ખરીદી શરૂ કરી દીધી છે. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. લોકો પાર્ટી વેરથી લઈને નોર્મલ અને ઓફિસ વેર સુધી તમામ પ્રકારના કપડાં, શૂઝ અને બ્યુટી પ્રોડક્ટ્‌સ ખરીદી રહ્યા છે. પરંતુ, અંડરવેર અથવા ઇનરવેર ખરીદતા નથી. જેના કારણે અગ્રણી ઇનરવેર બ્રાન્ડ્‌સ જાેકી, ડોલર, રૂપાના વેચાણમાં ઘટાડો થયો છે. તહેવારોની સિઝનમાં ખરીદીમાં ફેશનેબલ કપડાનું વેચાણ વધ્યું છે, પરંતુ અંડરવેરનું વેચાણ વધ્યું નથી. પછી, તે ગમે તે સેગમેન્ટનો હોય, આ કેટેગરીના કપડાંનું વેચાણ બાળકો, સ્ત્રીઓ અને પુરુષો જેવા તમામ સેગમેન્ટમાં નહિવત છે.

આવી સ્થિતિમાં, શું ભારતના લોકો હવે ઇનરવેર નથી ખરીદી રહ્યા? તો ચાલો જાણીએ આ પાછળનું કારણ શું છે. લોકો અંડરવેર કેમ નથી ખરીદતા?.. ભારતમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકોએ તેમના ઇનરવેર ખરીદવાનું બંધ કરી દીધું છે. ડિસેમ્બર ૨૦૨૨ના છેલ્લા ક્વાર્ટરમાં અંડરવેરનો ઉપયોગ ૫૫ ટકા ઘટ્યો છે. જ્યારે હ્લરૂ૨૪ના પ્રથમ ક્વાર્ટરમાં, જાેકીની કુલ આવકમાં ૨૮% અને વોલ્યુમ ગ્રોથ ૩૧% વધ્યો છે. ક્વાર્ટર દરમિયાન, મેક્રો હેડવિન્ડ્‌સ અને બજારની સ્થિતિએ કેટલાક પડકારો ઊભા કર્યા. જેના કારણે વર્ષ-દર-વર્ષે અંડરવેરની ખરીદીમાં થોડો ઘટાડો નોંધાયો હતો.

જે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ આવકમાં ૭.૫% અને જથ્થામાં ૧૧.૫%ના ઘટાડા તરીકે ઉભરી આવ્યો છે. વેચાણમાં ઘટાડાનું કારણ એ પણ હોઈ શકે છે કે વધતી મોંઘવારીને કારણે લોકો પાસે ખર્ચ કરવા માટે પૂરતા પૈસા નથી બચ્યા. ઉપરાંત, ભારતીયો ઓનલાઈન માર્કેટિંગને વધુ મહત્વ આપી રહ્યા છે. તેનું કારણ એ છે કે તેમને ઓનલાઈન સ્ટોર્સ પર વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તે જ સમયે, સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે મલ્ટી બ્રાન્ડ આઉટલેટ્‌સ (એમબીઓ) એટલો સ્ટોક નથી ખરીદતા જેટલો તેઓ પહેલા ખરીદતા હતા.

તેઓ જે ખરીદી રહ્યા છે તેની ચૂકવણી કરવામાં પણ વિલંબ કરી રહ્યા છે, જેના કારણે ઉત્પાદકોની કાર્યકારી મૂડીને પણ અસર થઈ રહી છે. ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં, જાેકી અને લક્સ ઇન્ડસ્ટ્રીઝની પેરેન્ટ કંપની પેજ ઇન્ડસ્ટ્રીઝના વેચાણમાં ત્રિમાસિક ઘટાડો નોંધાયો હતો. જ્યારે, રૂપા એન્ડ કો. વોલ્યુમમાં ૫૨ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં રૂપાના શેરમાં ૫૨ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

પેજ ઈન્ડસ્ટ્રીઝના વોલ્યુમમાં ૧૧ ટકા અને શેરના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. જાે ભવિષ્યમાં અંડરવેરના વેચાણમાં ઘટાડો ચાલુ રહે છે, તો તે સૂચવે છે કે અર્થતંત્રમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. જાેકી અંડરવેર સામાન્ય રીતે શહેરી બજારમાં વેચાય છે. આવી સ્થિતિમાં, જ્યારે આ માર્કેટમાં વેચાણના વલણમાં ઘટાડો જાેવા મળે છે, તે સૂચવે છે કે આવનારો સમય પડકારજનક હોઈ શકે છે. યુરોમોનિટર ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, ભારતમાં ઇનરવેર માર્કેટ ઇં૫.૮ બિલિયન અથવા રૂ. ૪૮,૧૨૩ કરોડ હોવાનો અંદાજ છે. પુરૂષો અને સ્ત્રીઓ કેટેગરી માટે ઇનરવેરનું યોગદાન ૩૯% અને ૬૧% છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/