કેનેડામાં સુખદુલ સિંહ નામના ગેંગસ્ટરની હત્યા
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/09/File-01-Page-02-11-1140x620.jpg)
કેનેડામાં સુખદુલ સિંહ નામના ગેંગસ્ટરની હત્યા કરવામાં આવી છે. કેનેડાના વિનીપેગમાં અજાણ્યા લોકોએ તેને ગોળી મારી હતી. તે પંજાબના મોગાનો રહેવાસી હતો. કેનેડામાં વધુ એક ખાલિસ્તાની સમર્થકની હત્યા કરવામાં આવી છે. કેનેડામાં રહેતા આતંકવાદી સુખદુલ સિંહની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકી સુખદુલ દ્ગૈંછની વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. તેના પર આરોપ છે કે તે ખાલિસ્તાની આતંકવાદીઓને મદદ કરતો હતો. સુખદુલ પંજાબના મોગાનો રહેવાસી છે. તે પંજાબથી ભાગીને ૨૦૧૭માં કેનેડા પહોંચ્યો હતો.
કહેવાય છે કે તે ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહનો નજીકનો માનવામાં આવે છે. થોડા દિવસ પહેલા જ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. આ કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પણ બગડી રહ્યા છે. સુખદુલની હત્યા પણ નિજ્જરની હત્યા જેવી જ હતી. અહેવાલો અનુસાર, ૨૦૧૭માં સુખદુલ નકલી દસ્તાવેજાેની મદદથી ભારતથી કેનેડા ભાગી ગયો હતો.
સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકે ૨૦૧૭માં કેનેડા ભાગી જવા માટે બનાવટી દસ્તાવેજાેના આધારે પાસપોર્ટ અને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવ્યું હતું, તેમ છતાં તેની સામે સાત ગુનાહિત કેસ નોંધાયા હતા. પોલીસ સાથે મીલીભગત કરીને તેણે કેનેડાના વિઝા મેળવ્યા હતા. દુનેકે સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. પંજાબ પોલીસના બે કર્મચારીઓ પર તેની મદદ કરવાનો આરોપ હતો, બાદમાં મોગા પોલીસે તેમની ધરપકડ કરી હતી. પંજાબમાંથી ભાગીને કેનેડામાં બેઠેલા છ કેટેગરીના ગેંગસ્ટર સુખવિંદર સિંહ ઉર્ફે સુખા દુનુકેની કેનેડામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આરોપી સુખા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલાનો જમણો હાથ હતો અને દ્ગૈંછની વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. સુખા પણ કેનેડામાં બેસીને ભારતમાં તેના સાગરિતો દ્વારા ખંડણી કે ખંડણીનું કામ કરતો હતો.
Recent Comments