યલો સમુદ્રમાં ચીનની પરમાણુ સબમરીનમાં અકસ્માત થયાનો ખુલાસોઓક્સિજન સિસ્ટમમાં ખામીને કારણે સબમરીન દુર્ઘટનાનો શિકાર બની
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/File-01-Page-07-1140x620.jpg)
ચીનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યલો સમુદ્રમાં ચીનની ન્યુક્લિયર સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થઈ હોય એવું કહેવામાં આવી રહ્યું છે. યુકેના એક ગ્રુપ્ત અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે કે સબમરીન બ્રિટિશ જહાજાેને પોતાની જાળમાં ફસાવવા માંગતી હતી પણ પોતે જ દુર્ઘટનાનો શિકાર બની ગઈ હતી. જણાવી દઈ કે આ અકસ્માતમાં ૫૫ લોકોના મોતની આશંકા છે. રિપોર્ટ મુજબ ઓક્સિજન સિસ્ટમમાં ખામીને કારણે સબમરીન દુર્ઘટનાનો શિકાર બની હતી. માર્યા ગયેલાઓમાં સબમરીન ૦૯૩-૪૧૭ના કેપ્ટન અને ૨૧ અધિકારીઓ પણ સામેલ છે. જાે કે ચીને સત્તાવાર રીતે આ ઘટનાને નકારી કાઢી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીને આંતરરાષ્ટ્રીય મદદ લેવાનો પણ ઈનકાર કરી દીધો છે.. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટના ૨૧ ઓગસ્ટના રોજ થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે ૮.૧૨ વાગ્યે બની હતી. આ અકસ્માતમાં ૫૫ સૈનિકોના મોત થયા હતા. જેમાં ૨૨ અધિકારીઓ, ૭ ઓફિસર કેડેટ્સ, ૯ જુનિયર ઓફિસર અને ૧૭ સૈનિકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં કેપ્ટન કર્નલ ઝુ યોંગ-પેંગ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે ચીન આ ઘટના પર અત્યાર સુધી મૌન છે. અત્યાર સુધી તેણે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તમને જણાવી દઈએ કે યુકેનો આ રિપોર્ટ ડિફેન્સ ઈન્ટેલિજન્સ પર આધારિત છે.
Recent Comments