fbpx
રાષ્ટ્રીય

સંજય રાઉતે વડાપ્રધાન મોદીના આ નિવેદન પર આપી પ્રતિક્રિયા

શિવસેના નેતા સંજય રાઉતે વડાપ્રધાન મોદીના રાહુલ ગાંધીને મૂર્ખ કહેવાવાળા નિવેદન પર હવે વળતો જવાબ આપ્યો છે. સંજય રાઉતે કહ્યું કે જે લોકો રાહુલ ગાંધીને મૂર્ખ કહી રહ્યા છે, તેમને રાહુલ ગાંધીને સવાર-સાંજ યાદ આવે છે. તેમને ખાતા-પીતા પણ રાહુલ ગાંધી દેખાય છે. તે લોકો રાહુલ ગાંધીથી ડરે છે. દેશમાં ચૂંટણીના કારણે હાલમાં રાજકારણ ગરમાયેલુ છે. એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. તેની વચ્ચે વડાપ્રધાન મોદીના રાહુલ ગાંધીને લઈને આપેલા નિવેદન પર શિવસેના નેતા સંજય રાઉતે પોતાના અંદાજમાં નિશાનો સાધ્યો, તેમને કહ્યું કે રાહુલ પર આ પ્રકારના નિવેદન આપનારા લોકો વાસ્તવમાં રાહુલ ગાંધીથી ડરે છે, તે જાણે છે કે રાહુલ ગાંધી 2024માં દેશના વડાપ્રધાન હશે અને પુરો હિસાબ તેમની પાસેથી લેશે.. સંજય રાઉતે આગળ કહ્યું કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, કોંગ્રેસ સતત આગળ વધતી જઈ રહી છે અને મોદીજીનો પ્રભાવ ખત્મ થઈ રહ્યો છે. ભાજપ ક્યાંય નથી, ના કેરળ, ના પશ્ચિમ બંગાળ, ના તેલંગાણા, ના તમિલનાડુ અને ના ઉડીસામાં પણ. લોકોએ ભારતને પહેલાથી જ ભાજપ મુક્ત કરી દીધુ છે, હવે 2024માં અમારી સરકાર આવશે. સંજય રાઉતે કહ્યું કે જીત્યા બાદ અમારૂ ફોક્સ એ હશે કે અમે ભાજપને વિરોધી પક્ષમાં રાખીશું અને તેમને અરીસો બતાવીશું. આ દેશ લોકતંત્રના આધાર પર ચાલશે. સ્વાર્થ સિવાય આ લોકો કંઈ કરતા નથી. 2024માં એક ભૂકંપની જેમ અમે સત્તામાં આવીશું અને આ ભૂકંપમાં સૌથી મોટી જાનહાનિ ભાજપ, મોદી અને અમિત શાહની થશે. મેં અને મારા પરિવારે શિવસેનાને ક્યારેય છોડી નથી અને ક્યારેય પણ છોડીશુ નહીં. સત્તા આવતા જ સત્તા જતી રહી છે તેમ સંકટ પણ જતા રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/