fbpx
રાષ્ટ્રીય

ચીનના માયકોપ્લાઝમા ન્યુમોનિયાના રોગના ભારતમાં ૭ કેસ આવ્યા

ચીનમાં ફરી એક વખત હાહાકાર મચી ગયો છે. આ રોગને માયકોપ્લાઝ્‌મા ન્યુમોનિયા કહેવામાં આવી રહ્યું છે. માયકોપ્લાઝ્‌મા ન્યુમોનિયાના દર્દીઓ ચીન બાદ હવે ભારતમાં પણ કેસ સામે આવ્યા છે.જે ચીનમાં ફેલાયેલી ભયાનક શ્વાસની બિમારીનું કારણ છે. આ બિમારીથી બચવા અને તેના પ્રસારને રોકવા માટે પ્રયત્ન શરુ છે. કોરોનાના કેસ હજુ પૂર્ણ થયા નથી ત્યાં ફરી એક વખત ચીનના નવા રોગે ભારતનું ટેન્શન વધારી દીધું છે. ભારતમાં વધુ એક રોગ માઈકોપ્લાઝ્‌મા ન્યુમોનનિયાની એન્ટ્રી થઈ ચૂકી છે. જે નાના બાળકોમાં જાેવા મળી રહ્યા છે.. આ બીમારીએ ચીનમાં હાહાકાર મચાવ્યો છે. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં એપ્રિલથી સપ્ટેમબર મહિના વચ્ચે માઈકોપ્લાઝમા ન્યુમોનનિયાના ૭ કેસ સામે આવ્યા છે. પીસીઆર અને આઈજીએમ એલિસા ટેસ્ટનો પોઝીટીવીટી દર ત્રણ અને ૧૬ ટકા હોવાનું જાણવા મળ્યું છે. આ જ કારણ છે કે ચીનથી આવેલા કોરોનાનો સામનો કર્યા બાદ ભારતમાં હવે આ બીમારીથી લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.

ભારતમાં આ નવા કેસ સામે આવતા ચિંતા વધી ગઈ છે કારણ કે, ૪ વર્ષ પહેલા ડિસેમ્બર ૨૦૧૯માં ચીનમાંથી જ કોવિડના કેસ સામે આવ્યા હતા જે દુનિયાભરમાં ફેલાયો હતો.. જે બાળકોમાં માઈકોપ્લાઝ્‌મા ન્યુમોનિયા સંક્રમણ જાેવા મળ્યા છે. તેમાં સામાન્ય લક્ષણો જેમ કે ગળું ખરાબ થવું, થાક અનુભવવો, તાવ, શરદી,ઉધરસ જે મહિનાઓ સુધી રહે છે. તમને જણાવી દઈએ કે આ વખતે વધુ પોઝિટિવ કેસ જાેવા મળ્યા છે. વૈશ્વિક સ્તરે કેસ વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. ચીન ઉપરાંત યુરોપમાં પણ કેસ વધ્યા છે. ભારતે સાવચેત રહેવાની જરૂર છે. માઈકોપ્લાઝ્‌મા ન્યુમોનિયા સંક્રમણ સૌથી વધુ નાના બાળકો અને શાળાએ જતા બાળકોને ઝપેટમાં લે છે પરંતુ તે કોઈને પણ ઝપેટમાં લઈ શકે છે. ભીડ ભાડવાળી જગ્યાઓ પર રહેવાથી તેમજ સંક્રમણ વાળી જગ્યા પર રહવેાથી આ રોગનો ખતરો વધી જાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/