fbpx
રાષ્ટ્રીય

કલમ ૩૭૦ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો ર્નિણય યોગ્ય : સુપ્રીમ કોર્ટચુંટણી પંચે જમ્મુકાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચૂંટણી કરાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

કલમ ૩૭૦ અંગે સુપ્રીમ કોર્ટનો ર્નિણય આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કલમ ૩૭૦ની જાેગવાઈ યુદ્ધ બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ કામચલાઉ છે અને બદલી શકાય છે. તેને રદ કરવા માટે કેન્દ્ર સરકારે પ્રક્રિયા મુજબ ર્નિણય લીધો હતો. જમ્મુ અને કાશ્મીર રાજ્ય ભારતનો અભિન્ન અંગ છે. ભારતના બંધારણની કલમ ૧ અને ૩૭૦ થી આ સ્પષ્ટ છે. ભારતમાં વિલીનીકરણ બાદ જમ્મુ અને કાશ્મીર હવે સાર્વભૌમ રાજ્ય નથી રહ્યું. જમ્મુ અને કાશ્મીરમાં હવે તેની બંધારણ સભા નથી.

આ ઉપરાંત કોર્ટે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી કરવાનો આદેશ કર્યો છે.. રાજ્યમાં યુદ્ધની સ્થિતિને કારણે કલમ ૩૭૦ એક વચગાળાની વ્યવસ્થા હતી. તે એ પણ દર્શાવે છે કે આ એક કામચલાઉ જાેગવાઈ છે. ઝ્રત્નૈંએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર બંધારણની કલમ ૧ અને ૩૭૦ હેઠળ ભારતનો અભિન્ન અંગ છે. સુપ્રીમ કોર્ટે અરજદારની એ દલીલને ફગાવી દીધી હતી કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન કેન્દ્ર દ્વારા કોઈ ઉલટાવી શકાય તેવું પગલું ન લઈ શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણ સભાની ભલામણ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા નથી. જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાનો હેતુ કામચલાઉ હતો. કલમ ૩૭૦(૩) હેઠળ, જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાના વિસર્જન પછી પણ કલમ ૩૭૦ અસ્તિત્વમાં નથી

તેવી સૂચના જાહેર કરવાની રાષ્ટ્રપતિની સત્તા ચાલુ છે.. ઝ્રત્નૈં ચંદ્રચુડે કહ્યું કે કલમ ૩૫૬ હેઠળની સત્તાનો ઉપયોગ ઘોષણાના હેતુ સાથે યોગ્ય સંબંધ હોવો જાેઈએ. ઝ્રત્નૈં કહે છે કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય વતી સંઘ દ્વારા લેવામાં આવેલા દરેક ર્નિણયને પડકારવા માટે ખુલ્લા નથી. તેનાથી રાજ્યના વહીવટીતંત્રને નુકસાન થશે. અરજદારોની દલીલ એ છે કે શું સંસદ જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે જ રાજ્યની કાયદો બનાવવાની સત્તાનો ઉપયોગ કરી શકે? અરજીકર્તાની આ દલીલ પર સીજેઆઈએ કહ્યું કે આ સ્વીકાર્ય નથી. ઝ્રત્નૈંએ કહ્યું કે ભારતમાં વિલીનીકરણ બાદ જમ્મુ અને કાશ્મીર હવે સાર્વભૌમ રાજ્ય નથી રહ્યું.. સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર ૨૦૧૮ માં જમ્મુ અને કાશ્મીરમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની માન્યતા પર ચુકાદો આપવાનો ઇનકાર કર્યો છે, કારણ કે તેને અરજદારો દ્વારા ખાસ પડકારવામાં આવ્યો ન હતો. ઝ્રત્નૈંએ કહ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા અમલમાં આવે છે

ત્યારે રાજ્યોમાં સંઘની સત્તા પર મર્યાદાઓ હોય છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. લાંબી સુનાવણી બાદ પાંચ જજાેની બેન્ચે ૫ સપ્ટેમ્બરે પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં બનેલી બેંચમાં જસ્ટિસ એસ કે કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાન્તનો સમાવેશ થાય છે. પાંચ સભ્યોની ખંડપીઠ સમક્ષ ૨૩ અરજીઓ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/