fbpx
રાષ્ટ્રીય

વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવા વર્ષ ૨૦૨૪માં રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવા વર્ષ ૨૦૨૪માં રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે ક્રેમલિનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પુતિને વિદેશ મંત્રી જયશંકરને કહ્યું કે અમે અમારા મિત્ર વડાપ્રધાન મોદીને રશિયામાં જાેઈને ખુશ થઈશું. આ દરમિયાન પુતિને વિદેશ મંત્રી એસ જયશંકર મારફત વડાપ્રધાન મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત પુતિને વિદેશ મંત્રી જયશંકર સાથે ભારતમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરી અને કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અકબંધ રહેશે.

પુતિને કહ્યું કે અમને એ જાણીને ખૂબ જ આનંદ થાય છે કે વિશ્વમાં તમામ ઉથલપાથલ થઈ રહી હોવા છતાં અમારા પરંપરાગત મિત્ર ભારત અને એશિયામાં ભારતીય લોકો સાથે સંબંધો સતત વિકસિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે વડાપ્રધાન મોદીની સ્થિતિ જાણીએ છીએ અને અમે યુક્રેનની સ્થિતિ સહિત જટિલ પ્રક્રિયાઓ પ્રત્યે તેમના અભિગમ વિશે વારંવાર વાત કરી છે. મેં તેમને આ સંઘર્ષ સંબંધિત પરિસ્થિતિ વિશે વારંવાર જાણ કરી છે. હું જાણું છું કે તેઓ શાંતિપૂર્ણ રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરવાની તેમની ઈચ્છા જાણું છું.પુતિને કહ્યું કે અમે વડાપ્રધાન મોદીને રશિયામાં જાેઈને ખૂબ જ ખુશ થઈશું. અમે તમામ વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરી શકીશું અને રશિયન-ભારત સંબંધોના વિકાસની સંભાવનાઓ વિશે વાત કરી શકીશું. અમારી પાસે કામનો મોટો જથ્થો છે.

જાે કે, હું સમજું છું કે ભારતમાં આવતા વર્ષે સામાન્ય સંસદીય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, તેથી તે સરળ નથી. અમે ભારતમાં અમારા મિત્રોને સફળતાની શુભેચ્છા પાઠવીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે રાજકીય દળોના કોઈપણ સંજાેગોમાં આપણા લોકો વચ્ચે પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધો ચાલુ રહેશે.વાસ્તવમાં વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે રશિયામાં છે. રાષ્ટ્રપતિ પુતિન પહેલા તેઓ તેમના રશિયન સમકક્ષ સેર્ગેઈ લવરોવને મળ્યા હતા. લવરોવ સાથેની વાતચીત બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જયશંકરે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન આવતા વર્ષે વાર્ષિક સમિટમાં મળશે. અગાઉ જયશંકરે કહ્યું હતું કે બંને નેતાઓ સતત સંપર્કમાં છે.

વિદેશ મંત્રી જયશંકર સાથેની મુલાકાત દરમિયાન પુતિને એમ પણ કહ્યું હતું કે રશિયા અને ભારત વચ્ચે ક્રૂડ ઓઈલ અને ઉચ્ચ ટેક્નોલોજી ક્ષેત્રોને કારણે વેપાર વધી રહ્યો છે. તેમણે કહ્યું કે અમારો બિઝનેસ સતત બીજા વર્ષે સ્થિર ગતિએ વધી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વિકાસ દર વધુ છે. તમને જણાવી દઈએ કે ભારત અને રશિયા વચ્ચે શિખર સંમેલન એ બંનેની વ્યૂહાત્મક ભાગીદારીમાં સર્વોચ્ચ સંસ્થાકીય સંવાદ પદ્ધતિ છે. અત્યાર સુધી ભારત અને રશિયા વચ્ચે એકાંતરે ૨૧ વાર્ષિક સમિટ યોજાઈ ચૂકી છે. છેલ્લી સમિટ ડિસેમ્બર ૨૦૨૧માં નવી દિલ્હીમાં યોજાઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/