પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા કેસના ર્નિણયને લઈ મુખ્ય ન્યાયાધીશએ સ્પષ્ટતા કરીન્યાયાધીશો તેમના ર્નિણયો દ્વારા તેમના વિચારો વ્યક્ત કરે છે : ઝ્રત્નૈં ડીવાય ચંદ્રચુડે
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/01/File-01-Page-12-1140x620.jpg)
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે સંઘર્ષના લાંબા ઈતિહાસ અને અલગ-અલગ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સર્વસંમતિથી ચુકાદો આપવાનો ર્નિણય લીધો હતો. અયોધ્યા કેસમાં ન્યાયાધીશોએ સર્વસંમતિથી ર્નિણય લીધો હતો કે ર્નિણય કોણે લખ્યો છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવશે નહીં. સીજેઆઈએ કહ્યું કે જ્યારે પણ જજ કોઈ પણ કેસમાં ર્નિણય લે છે, ત્યારે તે બંધારણ અને કાયદા અનુસાર જ લે છે. દેશના ચીફ જસ્ટિસે આપેલા ઈન્ટરવ્યુમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જાે આપતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરવાના કેન્દ્રના ર્નિણયને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખવાના મુદ્દે કોઈપણ વિવાદ ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે આ અંગે ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.. કોર્ટના સર્વસંમત ર્નિણયની કેટલાક ક્વાર્ટરમાં ટીકા થઈ રહી છે. વિવિધ ર્નિણય અંગે વાત કરવામાં આવે તો કલમ ૩૭૦ પર સુપ્રીમ કોર્ટના ર્નિણય અને તેની ટીકા પર સીજેઆઈએ કહ્યું કે ન્યાયાધીશો તેમના ર્નિણયો દ્વારા તેમના વિચારો વ્યક્ત કરે છે, જે ર્નિણય પછી જાહેર સંપત્તિ બની જાય છે. તેથી મુક્ત સમાજમાં લોકો તેના વિશે પોતાનો અભિપ્રાય બનાવી શકે છે.
મને નથી લાગતું કે ટીકાનો જવાબ આપવો અથવા મારા ર્નિણયનો બચાવ કરવો મારા માટે યોગ્ય રહેશે. તે જ સમયે, સમલૈંગિક લગ્ન સંબંધિત ર્નિણય પર, સીજેઆઈએ કહ્યું કે તે ર્નિણયની યોગ્યતા પર ટિપ્પણી કરશે નહીં જેમાં ગે લગ્નને કાનૂની દરજ્જાે આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ર્નિણય જજ માટે વ્યક્તિગત નથી. તેને કોઈ અફસોસ નથી. જાે કે, સમલૈંગિક યુગલો લાંબા સમય સુધી તેમના અધિકારો માટે લડતા હતા અને આ બાબત તેમના ધ્યાન પર હતી.. વાસ્તવમાં, ગયા વર્ષે ૧૭ ઓક્ટોબરના રોજ, સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ ગે લોકોને સમાન અધિકાર અને સંરક્ષણની વાત કરી હતી. સીજેઆઈએ કહ્યું કે એકવાર તમે કોઈ બાબત પર ર્નિણય લો છો, પછી તમે પરિણામથી દૂર રહો છો.
ન્યાયાધીશો તરીકે અમારા માટે ર્નિણયો ક્યારેય વ્યક્તિગત હોતા નથી. તેથી મને કોઈ અફસોસ નથી. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે ઘણી વખત જે કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો, હું બહુમતીના ર્નિણયોમાં હતો અને ઘણી વખત હું લઘુમતીના ર્નિણયોમાં હતો. ન્યાયાધીશના જીવનમાં મહત્વની બાબત એ છે કે પોતાને ક્યારેય કોઈ પણ મુદ્દા સાથે ન જાેડો. જ્યારે પણ હું કોઈ બાબત પર ર્નિણય આપું છું, ત્યારે હું તેને ત્યાં જ છોડી દઉં છું.
Recent Comments