પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરની પ્રતિકૃતિ પીએમ મોદીને અર્પણ કરી
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/01/File-01-Page-09-8-1140x620.jpg)
૫૦૦ વર્ષની રાહ જાેયા બાદ સોમવારે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઐતિહાસિક ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આરએસએસના વડા મોહન ભાગવતને અયોધ્યામાં રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.
Recent Comments