fbpx
રાષ્ટ્રીય

નાણામંત્રી ર્નિમલા સીતારમણએ વચગાળાનું બજેટ રજુ કર્યુંવચગાળાનું બજેટ ૨૦૨૪ : બજેટના ભાષણના મહત્વના મુદ્દાઓ જાણો

નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે તેમનું પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કર્યું. ર્નિમલા સીતારમણે સતત છઠ્ઠું બજેટ રજૂ કર્યું. આ સાથે સીતારમણ સતત પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કરીને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની ક્લબમાં સામેલ થઈ ગયા છે. વર્ષ ૨૦૨૪માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું બજેટ છે. જે વચગાળાનું કે મિની બજેટ હોય છે. નવી સરકારની રચના બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. ર્નિમલા સીતારમણનું બજેટ ભાષણ પૂરું થઈ ગયું છે. તેમણે લગભગ એક કલાક સુધી ભાષણ આપ્યું. સરકારે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, અગાઉ જે ટેક્સ સ્લેબ પ્રવર્તતો હતો તે જ લાગુ રહેશે.

રેલવે માટે જાહેરાત કરતી વખતે, નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી, સુવિધા અને આરામ માટે ૪૦,૦૦૦ સામાન્ય રેલ્વે બોગીઓને વંદે ભારત ધોરણોમાં રૂપાંતરિત કરવામાં આવશે. ર્નિમલા સીતારમણે કહ્યું કે સ્કીલ ઈન્ડિયા મિશનએ ૧.૪ કરોડ યુવાનોને તાલીમ આપી છે. ૫૪ લાખ યુવાનોને પ્રશિક્ષિત અને પુનઃકુશળ બનાવ્યા અને ૩૦૦૦ નવી ૈં્‌ૈંજની સ્થાપના કરી. મોટી સંખ્યામાં સંસ્થાકીય ઉચ્ચ શિક્ષણ, ૭ ૈંૈં્‌જ, ૧૬ ૈંૈંૈં્‌જ, ૭ ૈંૈંસ્જ, ૧૫ છૈંૈંસ્જી અને ૩૯૦ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. ર્નિમલા સીતારમણે કહ્યું કે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર ભારત અને અન્ય દેશો માટે પણ પરિવર્તનકારી પગલું છે.

ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. અમારી સરકારે નાગરિક પ્રથમ અને લઘુત્તમ સરકાર મહત્તમ શાસન અભિગમ સાથે જવાબદાર, લોકો કેન્દ્રિત અને વિશ્વાસ આધારિત શાસન પ્રદાન કર્યું છે. તેમણે કહ્યું કે ૩ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં એક કરોડની આવક થઈ છે. ર્નિમલા સીતારમણે કહ્યું કે આ બજેટ પ્રતિભાને પ્રોત્સાહન આપશે, ભત્રીજાવાદ નહીં. દેશને યુવાનોમાં અપાર વિશ્વાસ છે. રમત ગમતમાં યુવાનોએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે અમારી સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં ઘણું કામ કર્યું છે. અમારી સરકારે મહિલાઓ માટે ઘણું કામ કર્યું છે. ટ્રિપલ તલાક ગેરકાયદેસર સાબિત થયો. સીતારમણે કહ્યું કે અમારી સરકાર જીડીપી પર પણ ઘણું કામ કરી રહી છે. અમે સર્વાંગી વિકાસ પર ધ્યાન આપી રહ્યા છીએ. આપણી અર્થવ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલી રહી છે. લોકોની અપેક્ષાઓ ઘણી વધી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકાર રાજ્યોને વિકાસ માટે પણ મદદ કરશે. આગામી ૫ વર્ષમાં ૨ કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે. ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાનું લક્ષ્ય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/