fbpx
રાષ્ટ્રીય

કર્ણાટક હાઈકોર્ટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને દંડ ફટકાર્યો

કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અરજી ફગાવી દીધી હતી અને તેમના પર દંડ પણ લગાવ્યો હતો. કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે ૨૦૨૨માં તેની સામે દાખલ કરાયેલા કેસને રદ કરવાની માંગ કરી હતી. એટલું જ નહીં, કોર્ટે ઠપકો પણ આપ્યો છે અને કાયદાની નજરમાં બધાને સમાન ગણાવ્યા છે. કોર્ટે ટિપ્પણી કરી કે જાે જનતાના પ્રતિનિધિઓ નિયમોનું પાલન નહીં કરે તો જનતા શું કરશે હાઈકોર્ટે મુખ્યમંત્રીને ૬ માર્ચે જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતમાં હાજર થવાનો આદેશ પણ આપ્યો હતો.

કોર્ટે સીએમ સિદ્ધારમૈયા, રાજ્યના કેબિનેટ મંત્રીઓ એમબી પાટીલ, રામલિંગા રેડ્ડી અને કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સિદ્ધારમૈયા ઉપરાંત, હાઈકોર્ટે પરિવહન પ્રધાન રામલિંગા રેડ્ડીને ૭ માર્ચે, કોંગ્રેસના કર્ણાટકના પ્રભારી સુરજેવાલાને ૧૧ માર્ચે અને ભારે ઉદ્યોગ પ્રધાન એમબી પાટીલને ૧૫ માર્ચે હાજર થવા જણાવ્યું છે. વર્તમાન મુખ્યમંત્રી સહિત કોંગ્રેસના નેતાઓએ એપ્રિલ ૨૦૨૨માં કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલના મૃત્યુના સંબંધમાં કથિત રીતે કેએસ ઇશ્વરપ્પાની ધરપકડની માંગ સાથે વિરોધમાં ભાગ લીધો હતો.

૨૦૨૨માં કોંગ્રેસના નેતાઓ પર રસ્તાઓ અવરોધિત કરવાનો અને જનતા માટે મુશ્કેલી ઊભી કરવાનો આરોપ લગાવતા કેસ નોંધવામાં આવ્યો હતો. સીએમ સિદ્ધારમૈયા વતી હાજર રહેલા વકીલોએ હાઈકોર્ટમાં અપીલ દાખલ ન થાય ત્યાં સુધી આદેશને સ્થગિત રાખવા માટે હાઈકોર્ટને વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે જાે જનપ્રતિનિધિ નિયમોનું પાલન ન કરે તો શું જનતા તેનું પાલન કરશે? રસ્તાઓ રોકીને વિરોધ કરવાથી લોકોને મુશ્કેલી પડે છે. કોર્ટે વધુમાં કહ્યું કે અમે રસ્તાઓ પર રોક લગાવી શકીએ નહીં. લોકપ્રતિનિધિઓએ કાયદાનું પાલન કરવું જાેઈએ. વડાપ્રધાન અને ટપાલી બંને કાયદા સમક્ષ સમાન છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/