fbpx
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલો, બે બિન-કાશ્મીરી યુવાનોને ગોળી મારી દીધી

શ્રીનગર જિલ્લાના કરફાલી મોહલ્લાના શહીદગંજ વિસ્તારમાં આતંકવાદીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખી અને બીજાને ઘાયલ કર્યો. એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે આજે સાંજે આતંકવાદીઓએ નજીકથી બે લોકો પર ગોળીબાર કર્યો હતો. ઇજાગ્રસ્તો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પ્રારંભિક અહેવાલો મુજબ, એકની ઓળખ અમૃતસરના અમૃતપાલ સિંહ (મૃતક) તરીકે થઈ છે અને બીજાની ઓળખ રોહિત તરીકે થઈ છે, જે જીસ્ૐજીમાં દાખલ છે.

બંને બિન-સ્થાનિક હોવાનું કહેવાય છે. આતંકવાદીઓએ શ્રીનગરમાં એક બિન-સ્થાનિક (શીખ અમૃત પાલ)ને ગોળી મારી હતી. તે ડ્રાયફ્રુટ વેચવાનું કામ કરતો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્‌વીટ કર્યું, “આતંકવાદીઓએ શહીદ ગંજ શ્રીનગરમાં અમૃતસરના રહેવાસી અમૃતપાલ સિંહ તરીકે ઓળખાતા બિન-સ્થાનિક વ્યક્તિ પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં ઘાયલ થવાને કારણે મોત થયું હતું. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને તબીબી સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.” કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ અમૃતપાલ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

પાર્ટીએ તેના નિવેદનમાં કહ્યું “અમારા સમાજમાં હિંસાનું કોઈ સ્થાન હોવું જાેઈએ નહીં અને આવા બર્બરતાના કૃત્યો ફક્ત પ્રગતિ અને શાંતિને અવરોધે છે જેના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ,” ગયા વર્ષે ડિસેમ્બરમાં જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા એક નિવૃત્ત પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહમ્મદ શફી પર હુમલો કર્યો જ્યારે તેઓ ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં એક મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યા હતા. ખીણમાં તાજેતરમાં લક્ષ્યાંકિત હુમલાઓની ઘટનાઓમાં વધારો જાેવા મળી રહ્યો છે, જેના કારણે સુરક્ષા દળોને તેમની દેખરેખ વધારવા અને વાહનો અને લોકોની શંકાસ્પદ હિલચાલનું સઘન ચેકિંગ કરવાની ફરજ પડી છે.

ઑક્ટોબર ૨૦૨૩ માં, જમ્મુ અને કાશ્મીરના પુલવામાના તુચી-નોપોરા વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ઉત્તર પ્રદેશના એક બિન-સ્થાનિક મજૂરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુલામ નબી આઝાદે ટિ્‌વટર પર ટ્‌વીટ કર્યું, “શ્રીનગરમાં આતંકવાદને કારણે આજે પંજાબના અમૃતસરના અમૃતપાલ સિંહના દુઃખદ અવસાનથી દુઃખી છું. અમે બિન-સ્થાનિક અને નિર્દોષ લોકોને નિશાન બનાવતી આવી મૂર્ખ હિંસાની નિંદા કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના અન્ય ઘાયલ વ્યક્તિઓના ઝડપથી સ્વસ્થ થવા માટે છે. હિંસાનું આ ચક્ર સમાપ્ત થવું જાેઈએ!”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/