fbpx
રાષ્ટ્રીય

પુલવામા હુમલાની વરસી પર વડાપ્રધાન મોદીએ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (૧૪ ફેબ્રુઆરી) પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, ‘હું પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપું છું. દેશ માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રહેશે. બુધવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. પુલવામા આતંકવાદી હુમલો ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ થયો હતો. આ ભારત પરના સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. આ કાળા દિવસે, આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (ઝ્રઇઁહ્લ) ના કાફલાને ૨૦૦ કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે નિશાન બનાવ્યું હતું. આતંકી હુમલામાં ઝ્રઇઁહ્લના ૪૦ જવાનો શહીદ થયા હતા, જ્યારે ૩૫ ઘાયલ થયા હતા. ઝ્રઇઁહ્લના કાફલામાં ૭૮ વાહનો હતા, જેમાં ૨૫૦૦થી વધુ જવાનો મુસાફરી કરી રહ્યા હતા.

વડાપ્રધાન મોદીની જેમ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુલવામાના શહીદોને યાદ કર્યા છે. રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું, પુલવામા આતંકવાદી હુમલાના બહાદુર શહીદોને સેંકડો સલામ અને નમ્ર શ્રદ્ધાંજલિ. ભારતની રક્ષા માટે સમર્પિત તેમના સર્વોચ્ચ બલિદાન માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે. પુલવામામાં આતંકવાદી હુમલો પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. આ આતંકી સંગઠનનો વડા મસૂદ અઝહર છે. ભારતે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો બે અઠવાડિયાથી ઓછા સમયમાં જવાબ આપ્યો. ભારતીય વાયુસેનાના જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી સંગઠનના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. આ પછી પાકિસ્તાન સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં પોતાના ફાઈટર પ્લેન મોકલ્યા હતા. આ આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખાસ્સી બગડી ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/