fbpx
રાષ્ટ્રીય

કામ માટે રશિયા ગયેલા નેપાળી નાગરિકોએ તેમના દેશમાં પાછા ફરવા ભારત પાસે મદદ માંગી

કામ માટે રશિયા ગયેલા નેપાળી લોકોએ તેમના દેશમાં પાછા ફરવા માટે ભારત પાસે મદદ માંગી છે. તાજેતરમાં ભારતથી રશિયા કામ અર્થે ગયેલા મોહમ્મદ અસ્ફાનનું અવસાન થયું હતું. જે બાદ ભારતીય વિદેશ મંત્રાલય પોતાના નાગરિકોને પરત લાવવાના પ્રયાસો કરી રહ્યું છે. ભારતની જેમ નેપાળના ડઝનબંધ નાગરિકો પણ આ છેતરપિંડીનો શિકાર બન્યા છે અને યુક્રેન સામે યુદ્ધ લડવા મજબૂર બન્યા છે.

નેપાળ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુક્રેન વિરુદ્ધ રશિયા વતી લડી રહેલા ૬ નેપાળીઓના મોત થયા છે. નેપાળ સરકારે હજુ સુધી નેપાળના નાગરિકોને પરત લાવવા માટે કોઈ નક્કર પગલાં લીધા નથી, જેના કારણે જાનહાનિને કારણે નેપાળી નાગરિકોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે.

એક વીડિયો જાહેર કરતા નેપાળી નાગરિકોએ કહ્યું, “અમને છેતરીને અહીં લાવવામાં આવ્યા છે, અમને રશિયન સેનામાં મદદગાર તરીકે કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ અહીં અમને યુદ્ધ માટે મોકલવામાં આવી રહ્યા છે. નેપાળ એમ્બેસી અમને મદદ કરી રહી નથી, ભારતીય દૂતાવાસ ખૂબ જ શક્તિશાળી છે, અમને આશા છે કે ભારત ચોક્કસપણે અમને મદદ કરશે. વીડિયોમાં નેપાળી લોકો પણ કહેતા જાેવા મળી રહ્યા છે કે અમારી સાથે ત્રણ ભારતીય નાગરિકો હતા પરંતુ તેમને અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે.

નેપાળની જેમ, ઘણા ભારતીયોને પણ છેતરપિંડીથી રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ૭ ભારતીયોએ જણાવ્યું હતું કે તેમને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/