કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે : આતિશી
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/03/File-01-Page-11-7-1140x620.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે બે કલાકની પૂછપરછ બાદ ઈડ્ઢએ તેની ધરપકડ કરી હતી. દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે જાેડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલની પદ પર રહેતા ધરપકડ કરવામાં આવી હોય. તેમની પહેલાં, તે જ વર્ષે, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમની ધરપકડ પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું. આમ આદમી પાર્ટીએ સીએમ કેજરીવાલની ધરપકડને ‘રાજકીય કાવતરું’ ગણાવ્યું છે. તમામ વિરોધ પક્ષોએ પણ તેને ખોટું ગણાવ્યું છે. જાેકે દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે. આતિશીએ કહ્યું, ‘અમે પહેલા જ કહ્યું છે કે જાે જરૂર પડશે તો કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે. તેઓ જેલમાંથી સરકાર ચલાવી શકે છે અને કોઈ નિયમ તેમને આમ કરતા રોકી શકે નહીં. તેમને દોષિત ઠેરવવામાં આવ્યા નથી, તેથી તેઓ દિલ્હીના મુખ્ય પ્રધાન રહેશે.
અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં જ્યારે ઈડ્ઢએ કેજરીવાલને પહેલું સમન્સ જાહેર કર્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. તે સમયે પણ પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે. જેલમાંથી સરકાર ચલાવવી થોડી અતાર્કિક લાગે છે, પરંતુ મુખ્યમંત્રીને આમ કરતા રોકી શકે એવો કોઈ કાયદો કે નિયમ નથી. તેમ છતાં કેજરીવાલ માટે જેલમાંથી સરકાર ચલાવવી મુશ્કેલ છે. વાસ્તવમાં જ્યારે પણ કોઇ કેદી તરીકે આવે છે ત્યારે તેણે ત્યાં જેલ મેન્યુઅલનું પાલન કરવું પડે છે. જેલમાં દરેક કામ વ્યવસ્થિત રીતે થાય છે. જેલ મેન્યુઅલ મુજબ જેલમાં દરેક કેદીને તેના સંબંધીઓ અથવા મિત્રોને અઠવાડિયામાં બે વાર મળવાની છૂટ છે. દરેક મીટીંગનો સમય પણ અડધો કલાકનો છે. આટલું જ નહીં, જેલમાં બંધ નેતા ચૂંટણી લડી શકે છે અને ગૃહની કાર્યવાહીમાં પણ ભાગ લઈ શકે છે, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની બેઠક યોજી શકે નહીં. ઈડ્ઢએ જાન્યુઆરીમાં હેમંત સોરેનની ધરપકડ કરી ત્યારે ઁસ્ન્છ કોર્ટે તેમને વિશ્વાસ મતમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. આ સિવાય કેદી જ્યાં સુધી જેલમાં હોય છે ત્યાં સુધી તેની ઘણી બધી ગતિવિધિઓ કોર્ટના આદેશ પર ર્નિભર હોય છે. કેદી તેના વકીલ દ્વારા કોઈપણ કાયદાકીય દસ્તાવેજ પર સહી કરી શકે છે. પરંતુ કોઈપણ સરકારી દસ્તાવેજ પર સહી કરવા માટે કોર્ટની મંજૂરી લેવી પડશે.
અરવિંદ કેજરીવાલ હજુ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે બંધાયેલા નથી. તેઓ પોતાની મરજીથી રાજીનામું આપે તો અલગ વાત છે. અને પછી કોઈ નવા મુખ્યમંત્રી બને છે. ૧૯૫૧ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે કોઈપણ મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ કે ધારાસભ્ય જાે જેલમાં જાય તો તેણે રાજીનામું આપવું પડશે. કાયદા અનુસાર, મુખ્યમંત્રીને ત્યારે જ ગેરલાયક ઠેરવી શકાય છે જાે તે કોઈ કેસમાં દોષિત સાબિત થાય. આ કેસમાં કેજરીવાલને હજુ સુધી દોષી ઠેરવવામાં આવ્યા નથી. હાલમાં જ તેની ધરપકડ કરવામાં આવી છે. જાે કે, જાે અરવિંદ કેજરીવાલ રાજીનામું નહીં આપે તો દિલ્હીમાં બંધારણીય કટોકટીનો ભય છે. કારણ કે તેના જેલમાં રહેવાથી સરકારી કામમાં અડચણ આવી શકે છે. કેજરીવાલ રાજીનામું આપે તો પણ તેઓ ધારાસભ્ય જ રહેશે. કારણ કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ ધારાસભ્ય કે સાંસદને ત્યારે જ ગેરલાયક ઠરાવી શકાય છે જ્યારે તેને ફોજદારી કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થઈ હોય.જાેકે, દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે કેજરીવાલ રાજીનામું આપશે નહીં. અત્યારે આવું થવાની કોઈ શક્યતા નથી. મુખ્યમંત્રીને પદ પરથી હટાવવા માટે ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવી જરૂરી છે. પરંતુ અવિશ્વાસની દરખાસ્ત પણ એવી સ્થિતિમાં લાવવામાં આવે છે જ્યારે એવું લાગે છે કે સરકારે બહુમતી ગુમાવી દીધી છે. જાેકે, દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની ૭૦માંથી ૬૨ સીટો છે. તેમ છતાં, માની લઈએ કે કેજરીવાલ સરકાર સામે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે તો તેનું રાજીનામું લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી કેજરીવાલ પોતે ઈચ્છે નહીં ત્યાં સુધી તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવી શકાય નહીં.
ઈડ્ઢ દિલ્હી સરકારની એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨માં કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. આને દારૂનું કૌભાંડ પણ કહેવાય છે. જુલાઈ ૨૦૨૨ માં, દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે પહેલા ઝ્રમ્ૈંએ કેસ નોંધ્યો અને પછી ઈડ્ઢએ. દિલ્હીના તત્કાલિન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ગયા વર્ષે ૨૬ ફેબ્રુઆરીએ દારૂના આ કથિત કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ૪ ઓક્ટોબરે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પણ ઈડ્ઢ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે જ ૨ નવેમ્બરે ઈડ્ઢએ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું. , પરંતુ કેજરીવાલ હાજર થયા નથી. ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. ઈડ્ઢની ટીમ ગુરુવારે સાંજે ૭ વાગ્યે સીએમના નિવાસસ્થાને પહોંચી હતી અને બે કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંધારણના અનુચ્છેદ ૩૬૧ હેઠળ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ જ્યાં સુધી હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની ધરપકડ કરી શકાતી નથી કે અટકાયત પણ કરી શકાતી નથી. કોઈ કોર્ટ પણ તેની સામે કોઈ આદેશ આપી શકે નહીં.
પરંતુ વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ કે ધારાસભ્યને આવી છૂટ નથી. સિવિલ પ્રોસિજર કોડની કલમ ૧૩૫ હેઠળ વડા પ્રધાન, કેન્દ્રીય પ્રધાનો, લોકસભા અને રાજ્યસભાના સભ્યો, મુખ્ય પ્રધાન, વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોને માત્ર સિવિલ કેસમાં ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવે છે. ફોજદારી કેસોમાં નહીં.કારણ કે, ઈડ્ઢ કથિત દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે અને તે ફોજદારી કેસ છે. જેના કારણે સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલની ધરપકડના કલાકો પહેલા જ તેના વકીલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેણે ધરપકડને પડકારી છે.કેજરીવાલના વકીલોએ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને ગુરૂવારે રાત્રે જ સુનાવણી હાથ ધરવાની અપીલ કરી હતી. જાેકે, આવું થઈ શક્યું નહીં. હવે શુક્રવારે કેજરીવાલના વકીલો આ મામલાને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરશે. તે પછી જ સ્પષ્ટ થશે કે સુપ્રીમ કોર્ટ આની સુનાવણી કરશે કે નહીં. જાે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરે અને કેજરીવાલને રાહત મળે તો તેમને મુક્ત કરી શકાય. પરંતુ જાે કોર્ટનો ર્નિણય તેની વિરુદ્ધ જશે તો તેણે જેલમાં રહેવું પડશે.
Recent Comments