fbpx
રાષ્ટ્રીય

કેજરીવાલે ૨૪મી એપ્રિલ સુધીમાં ઈડ્ઢને જવાબ આપવો પડશે, આગામી સુનાવણી ૨૯મી એપ્રિલે થશે

એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે ઈડ્ઢને નોટિસ પાઠવી છે. ઈડ્ઢએ ૨૪ એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો રહેશે. આ સાથે કેજરીવાલે ૨૬ એપ્રિલ સુધીમાં ઈડ્ઢના જવાબનો જવાબ આપવાનો છે. હવે આ કેસની આગામી સુનાવણી ૨૯મી એપ્રિલે થશે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવી હતી. આ પછી કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. પોતાની અરજીમાં તેણે તેની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યો હતો.

કેજરીવાલે તેને ગેરકાયદેસર ગણાવ્યું હતું. કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું કે તેમની ધરપકડ અવિશ્વસનીય દસ્તાવેજાેના આધારે કરવામાં આવી છે. ઈડ્ઢ પાસે એવી કોઈ સામગ્રી છે જેના આધારે તેમની ધરપકડ કરી શકાય. આ સાથે જ અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમની પ્રેરિત રીતે ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જાેકે સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ પહેલા ૧૦ એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને રાહત ન આપીને તેમની ધરપકડને યોગ્ય ઠેરવી હતી. કોર્ટે કેજરીવાલની એ દલીલને પણ ફગાવી દીધી હતી કે તેમની ધરપકડ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે ૬ મહિનામાં ઈડ્ઢ દ્વારા કેજરીવાલને ૯ સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા ન હતા. કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલે ઈડ્ઢના સમન્સનું પાલન કર્યું નથી અને આ તેમની ધરપકડનું સૌથી મોટું કારણ છે. કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડ તેમના અસહકારનું પરિણામ છે. દિલ્હી હાઈકોર્ટે કોઈ રાહત આપવાનો ઈન્કાર કર્યા બાદ ૧૦ એપ્રિલે કેજરીવાલે ઈડી દ્વારા તેમની ધરપકડને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ૨૧ માર્ચે ઈડ્ઢ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઈડ્ઢનો આરોપ છે કે કેજરીવાલે નફાના બદલામાં દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગી હતી, વધુમાં, કેજરીવાલ પર છછઁ નેતાઓ, મંત્રીઓ અને અન્યો સાથે મળીને હવે રદ કરાયેલી નીતિમાં મુખ્ય કાવતરાખોર અને કિંગપિન હોવાનો આરોપ છે. કેજરીવાલે ઈડ્ઢના આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીએ ભાજપ અને કેન્દ્ર પર તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/