fbpx
રાષ્ટ્રીય

ઓડિશાના જાજપુરમાં ફ્લાયઓવર પરથી બસ પડી જતાં ૫ લોકોના મોત

ઓડિશાના જાજપુર જિલ્લામાં ફ્લાયઓવર પરથી બસ પડી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને ૩૮ લોકો ઘાયલ થયા છે. જાજપુરના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી અને કહ્યું કે બસ ડ્રાઇવરની સ્થિતિ ગંભીર છે. તેમણે કહ્યું કે ઘાયલોને એસસીબી મેડિકલ કોલેજ, કટક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, જાજપુરમાં મોકલવામાં આવ્યા છે. વાસ્તવમાં, ઓડિશાના જાજપુર જિલ્લામાં બારાબતી નજીક નેશનલ હાઈવે-૧૬ પર સોમવારે લગભગ ૫૦ મુસાફરોને લઈને જતી બસ ફ્લાયઓવર પરથી પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને લગભગ ૩૮ લોકો ઘાયલ થયા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે બસ પશ્ચિમ બંગાળના કટકથી દિઘા જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન, જાજપુરના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ જણાવ્યું કે બસ ડ્રાઇવરની હાલત ગંભીર છે. તેમણે કહ્યું કે ઘાયલોને જીઝ્રમ્ મેડિકલ કોલેજ, કટક અને જાજપુર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અમે ઘટના સ્થળની નજીકના બસ સ્ટેન્ડ પર હતા, અમે જાેયું કે બસ ડ્રાઈવર બેદરકારી અને આડેધડ રીતે બસ ચલાવી રહ્યો હતો. લોકોએ કહ્યું કે અમને લાગે છે કે ડ્રાઈવર ગાડી ચલાવતી વખતે નશામાં હતો. હાલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો દ્વારા અકસ્માત સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. દરમિયાન, મુખ્ય પ્રધાન નવીન પટનાયકે મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો અને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે ૩ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/