fbpx
રાષ્ટ્રીય

છેલ્લા મહિનામાં ઘણા મોટા પગલા લેવા છતાં ઈરાનની અર્થવ્યવસ્થા મજબૂત અને સ્થિર છેઃ કાર્યકારી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બર

ઈરાન હમણાં છેલ્લા ઘણા બધા દિવસોથી ચર્ચામાં રહ્યું છે હવે વાત મળી છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૂરી ગુણવત્તામાં યુરેનિયમને શુદ્ધ કરવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ઈરાને ૬૦ ટકા સુધી યુરેનિયમનું શુદ્ધિકરણ કર્યું છે, જ્યારે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે ૯૦ ટકા શુદ્ધ યુરેનિયમની જરૂર પડે છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (આઈએઈએ) એ ત્રણ જગ્યાએથી મેળવેલા શુદ્ધ યુરેનિયમના પરીક્ષણ બાદ આ વાત કહી છે. એજન્સીના વડા રાફેલ ગ્રોસીએ આ મહિને ઈરાનની મુલાકાત લીધી હતી અને ત્યાંના અધિકારીઓ સાથે સંકલન કરીને પરમાણુ પ્લાન્ટની નિરીક્ષણ પ્રક્રિયાને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને સફળતા ન મળી. જેના કારણે ભવિષ્યને લઈને જોખમો છે.

આ દરમિયાન ઈરાનમાં, કાર્યકારી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બરે સોમવારે તેહરાનમાં દેશની સંસદને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે, છેલ્લા મહિનામાં ઘણા મોટા પગલા લેવા છતાં દેશની અર્થવ્યવસ્થા મજબૂત અને સ્થિર છે. આ સ્થિતિ આપણા દિવંગત નેતા ઈબ્રાહિમ રાયસીના ર્નિણયોને કારણે છે. પશ્ચિમી દેશોના તમામ પ્રતિબંધો છતાં દેશનું તેલ ઉત્પાદન વધી રહ્યું છે અને તેનાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થઈ રહી છે. તેથી, ઈરાન રાયસીની નીતિઓને અનુસરવાનું ચાલુ રાખવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/