fbpx
રાષ્ટ્રીય

ભારતીય ચૂંટણી પંચે ૭ રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી

ભારતીય ચૂંટણી પંચ દ્વારા સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. ૧૦ જુલાઈએ ચૂંટણી યોજાશે અને ૧૩ જુલાઈએ મતગણતરી થશે. જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ બેઠકો માટેનું નોટિફિકેશન ૧૪ જૂને બહાર પાડવામાં આવશે. નોમિનેશન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૨૧ જૂન રહેશે. ૨૪મી જૂને નામાંકનની ચકાસણી થશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૨૬ જૂન છે. ૧૦ જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં બિહારની એક વિધાનસભા બેઠક, પશ્ચિમ બંગાળની ૪ બેઠકો, તમિલનાડુની ૧, મધ્યપ્રદેશની ૧, ઉત્તરાખંડની ૨, પંજાબની ૧ અને હિમાચલની ૩ બેઠકો પર મતદાન થશે. આ સીટો પર નોટિફિકેશન ૧૪ જૂને બહાર પાડવામાં આવશે. પેટાચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ ૨૧ જૂન નક્કી કરવામાં આવી છે. ૨૪મી જૂને ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૨૬ જૂન નક્કી કરવામાં આવી છે. આ પછી ૧૦ જુલાઈએ મતદાન થશે અને ૧૩ જુલાઈએ પરિણામ આવશે.

બિહારની રૂપૌલી વિધાનસભા સીટ પર ૧૦મી જુલાઈએ પેટાચૂંટણી કેમ યોજાઈ રહી છે? બીમા ભારતી અહીંના ધારાસભ્ય હતા, પરંતુ તેમણે લોકસભાની ચૂંટણી લડવા માટે પોતાની સીટ પરથી રાજીનામું આપી દીધું હતું. લોકસભા ચૂંટણીમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્‌યો હતો.

પશ્ચિમ બંગાળ પેટાચૂંટણી માટે મતદાન થશે. પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માનિકતલા વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. રાણાઘાટ દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય ડૉ.મુકુટ મણિ અધિકારીના રાજીનામાને કારણે અહીં ચૂંટણી યોજાઈ રહી છે. મુકુટ મણિ અધિકારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્‌યા હતા પરંતુ હારી ગયા હતા. બગડા સીટના ધારાસભ્ય વિશ્વજીત દાસે પણ લોકસભા ચૂંટણી લડવા માટે રાજીનામું આપી દીધું હતું. રાયગંજ સીટની પણ આવી જ હાલત છે. અહીંથી કૃષ્ણા કલ્યાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને લોકસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેઓ તમામ ચૂંટણી હારી ગયા. માણિકતલા સીટના ધારાસભ્ય સદન પાંડેના અવસાનના કારણે અહીં ચૂંટણી થઈ રહી છે.

તેવી જ રીતે ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર સીટ પર પણ ચૂંટણી યોજાશે. મેંગ્લોર વિધાનસભા સીટના બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય સરવત કરીમ અન્સારીનું ગયા વર્ષે ઓક્ટોબરમાં અવસાન થયું હતું. ત્યારથી આ બેઠક ખાલી પડી છે. બદ્રીનાથ સીટના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારીએ લોકસભા ચૂંટણી પહેલા રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા.

હિમાચલ પ્રદેશની હમીરપુર અને નાલાગઢ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. નાલાગઢના ધારાસભ્ય કે. ઙ્મ ઠાકુરે રાજીનામું આપી દીધું હતું અને ધારાસભ્ય આશિષ શર્માના રાજીનામાને કારણે હમીરપુર બેઠક ખાલી થઈ છે. પંજાબમાં જલંધર પશ્ચિમ અને દેહરા બેઠકો પર પણ ચૂંટણી યોજાવાની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/