fbpx
રાષ્ટ્રીય

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે એક વર્ષ વીતી ગયા પછી પણ મણિપુરમાં શાંતિ સ્થાપિત ન થવા પર ચિંતા વ્યક્ત કરી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે એક વર્ષ પછી પણ મણિપુરમાં શાંતિ સ્થાપિત ન થવા પર ચિંતા વ્યક્ત કરી હતી. મોદી સરકારને સલાહ આપતા ભાગવતે કહ્યું કે આ સંઘર્ષથી પ્રભાવિત ઉત્તર-પૂર્વીય રાજ્યની સ્થિતિને પ્રાથમિકતા પર ધ્યાનમાં લેવી જોઈએ. સંઘના વડાએ કહ્યું, ‘મણિપુરની સ્થિતિને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવી પડશે. ચૂંટણીની નિવેદનબાજીથી ઉપર ઊઠીને રાષ્ટ્ર સામેની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આરએસએસના વડાએ કહ્યું કે અશાંતિ કાં તો ભડકી ગઇ હતી અથવા ભડકાવામાં આવી હતી, પરંતુ મણિપુર સળગી રહ્યું છે અને લોકો તેનો સામનો કરી રહ્યા છે.

ભાગવતે કહ્યું કે અલગ-અલગ જગ્યાઓ અને સમાજમાં સંઘર્ષ સારો નથી. તેમણે ચૂંટણી બયાનબાજીથી દૂર જવાની અને દેશ સામેની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભાગવતે કહ્યું, ‘મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિ સ્થાપવાની રાહ જોઈ રહ્યું છે. દસ વર્ષ પહેલાં મણિપુરમાં શાંતિ હતી. એવું લાગતું હતું કે ત્યાં ગન કલ્ચર ખતમ થઈ ગયું છે, પરંતુ રાજ્યમાં અચાનક હિંસા વધી ગઈ છે. ગયા વર્ષે મે મહિનામાં મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી, લગભગ ૨૦૦ લોકો માર્યા ગયા છે, જ્યારે મોટા પાયે થયેલી આગજનીને પગલે હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ આગમાં ઘરો અને સરકારી ઈમારતો બળીને રાખ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોમાં જીરીબામથી તાજી હિંસા થઈ છે. લોકસભા ચૂંટણીને લઈને ભાગવતે કહ્યું કે પરિણામો આવી ગયા છે અને સરકાર બની ગઈ છે, તેથી ‘શું અને કેવી રીતે થયું’ વગેરે પર બિનજરૂરી ચર્ચા ટાળી શકાય છે. તેમણે કહ્યું કે આરએસએસ ‘કેવી રીતે થયું, શું થયું’ જેવી ચર્ચાઓમાં પડતું નથી. ભાગવતે કહ્યું કે ચૂંટણી બહુમત મેળવવા માટે થાય છે અને તે એક સ્પર્ધા છે, યુદ્ધ નથી. તેમણે કહ્યું કે રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા વિશે ખરાબ બોલે છે, પરંતુ તેઓ એ વાત પર ધ્યાન આપતા નથી કે તેનાથી સમુદાયો વચ્ચે તિરાડ પડી શકે છે.

ભાગવતે અફસોસ વ્યક્ત કર્યો કે આરએસએસને પણ કોઈ કારણ વગર આમાં ખેંચવામાં આવી રહ્યું છે. આરએસએસના વડાએ કહ્યું કે ચૂંટણીમાં હંમેશા બે પક્ષો હોય છે, પરંતુ જીતવા માટે જૂઠનો સહારો ન લેવો જોઈએ. તેમણે કહ્યું કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જૂઠાણું ફેલાવવામાં આવ્યું હતું. ભાગવતે કહ્યું કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેવા ધર્મોની ભલાઈ અને માનવતા અપનાવવી જોઈએ અને તમામ ધર્મોના અનુયાયીઓ એકબીજાને ભાઈ-બહેન તરીકે માન આપવું જોઈએ. ભાગવતે કહ્યું કે દરેક વ્યક્તિએ એમ માનીને આગળ વધવું જોઈએ કે આ દેશ આપણો છે અને આ ધરતી પર જન્મેલા તમામ લોકો આપણા પોતાના છે. આરએસએસ વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભૂતકાળને ભૂલી જવું જોઈએ અને દરેકને પોતાના તરીકે સ્વીકારવું જોઈએ. ભાગવતે કહ્યું કે જાતિવાદ સંપૂર્ણ રીતે ખતમ થવો જોઈએ. તેમણે ઇજીજીના અધિકારીઓને સમાજમાં સામાજિક સમરસતા માટે કામ કરવા કહ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/