fbpx
રાષ્ટ્રીય

૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૪ જૂનથી થશે શરૂ

લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મેળવ્યા બાદ કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રી પરિષદે પણ પોતાનું કામ સંભાળી લીધું છે.નવા સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (ટિ્‌વટર) પર સંસદ સત્ર સંબંધિત માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે, ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૪ જૂનથી ૩ જુલાઈ સુધી ચાલશે. જેમાં નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે.

નવા સ્પીકર ચૂંટાશે. રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થશે. કિરેન રિજિજુએ કહ્યું કે નવા ચૂંટાયેલા સભ્યોને સત્રના પ્રથમ ત્રણ દિવસમાં શપથ લેવડાવવામાં આવશે. આ ઉપરાંત ગૃહના અધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું ૨૭ જૂને બંને ગૃહોની સયુંકત બેઠકને સંબોધિત કરશે અને આગામી પાંચ વર્ષ માટે નવી સરકારનો રોડમેપ રજૂ કરશે. સંસદનું સત્ર ત્રણ જુલાઈના રોજ પૂરું થશે.

જો કે, નવી લોકસભામાં વિપક્ષનું વલણ આક્રમક રહે તેવી પૂરી શક્યતાઓ છે. કારણ કે આ ચૂંટણીમાં લોકસભામાં વિરોધ પક્ષોનું પ્રતિનિધિત્વ વધ્યું છે અને ઈન્ડિયા એલાયન્સના સાંસદોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. બીજી તરફ એનડીએ પાસે બહુમતી છે પરંતુ તેની આગેવાની હેઠળની ભાજપ છેલ્લી બે લોકસભા ચૂંટણીની જેમ પૂર્ણ બહુમતી મેળવી શકી નથી. તે તેના સાથીઓ પર સંપૂર્ણપણે ર્નિભર છે. આવી સ્થિતિમાં વિપક્ષ સરકાર પર દબાણ બનાવવાની રણનીતિ અપનાવી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/