fbpx
રાષ્ટ્રીય

ઓડિશામાં નવી ચૂંટાયેલી ભાજપ સરકારે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી

શ્રી જગન્નાથ મંદિરને લગતા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે સરકારે ૫૦૦ કરોડ રૂપિયાના વિશેષ ભંડોળની જાહેરાત કરીબુધવારે, ચાર વખતના ધારાસભ્ય અને કેઓંઝર જિલ્લાના આદિવાસી નેતા મોહન ચરણ માઝીએ ભુવનેશ્વરમાં એક સમારોહમાં ઓડિશાના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઘણા કેન્દ્રીય પ્રધાનો અને મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી. અગાઉની બીજેડી સરકારે કોવિડ-૧૯ રોગચાળા પછી મંદિરના ચારેય દરવાજા બંધ રાખ્યા હતા. ભક્તો માત્ર એક જ દરવાજાથી પ્રવેશી શકતા હતા અને તમામ દરવાજા ખોલવાની માંગ કરવામાં આવી હતી.

ઓડિશામાં નવી ચૂંટાયેલી ભાજપ સરકારે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને મંદિરને લગતા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે સરકારે ૫૦૦ કરોડ રૂપિયાના વિશેષ ભંડોળની પણ જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી તેમના સમગ્ર કેબિનેટ સાથે ચાર દરવાજા ખોલવાના સાક્ષી બનવા માટે જગન્નાથ મંદિર પહોંચ્યા છે. પુરીના સાંસદ સંબિત પાત્રા, બાલાસોરના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને અન્ય મંત્રીઓ અને પાર્ટીના નેતાઓ પણ હાજર છે.

મુખ્યમંત્રી એ કહ્યું હતું કે, મંદિરમાં આવતા ભક્તોને દરવાજા બંધ હોવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને તાજેતરના ર્નિણયથી તેમની યાત્રા સરળ બનશે. નોંધનીય છે કે ભાજપે પોતાના વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં જગન્નાથ મંદિરના તમામ દરવાજા ખોલવાનું વચન પણ આપ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/