fbpx
રાષ્ટ્રીય

એનસીઈઆરટી દ્વારા ધોરણ ૧૨ ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદનું નામ હટાવવામાં આવ્યું

ધોરણ ૧૨ ના સામાજિક વિજ્ઞાનના નવા પુસ્તકમાંથી પણ નવા પુસ્તકમાંથી પણ એનસીઈઆરટી દ્વારા બાબરી મસ્જિદનું નામ હટાવી દેવામાં આવ્યું છે. હવે નવા પુસ્તકમાં તેને ‘ત્રણ ગુંબજ સ્ટ્રક્ચર’ કહેવામાં આવ્યું છે. અયોધ્યાના પ્રકરણને ચાર પાનાથી ઘટાડીને માત્ર ૨ કરી દેવામાં આવ્યા છે. જેમાં સોમનાથથી અયોધ્યા સુધીની ભાજપની રથયાત્રા, કાર સેવકોની ભૂમિકા, બાબરી મસ્જિદના ધ્વંસ પછીની હિંસા, રાષ્ટ્રપતિ શાસન અને અયોધ્યામાં થયેલી હિંસા પર ભાજપનો ખેદનો સમાવેશ થાય છે.

એનસીઈઆરટી ના નવા પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૯૮૬માં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લા અદાલતે ત્રણ ગુંબજવાળા સ્ટ્રક્ચરને ખોલવાનો આદેશ આપ્યો હતો અને લોકોને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્રણ ગુંબજવાળી આ રચના શ્રી રામના જન્મસ્થળ પર બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. રામ મંદિરનો શિલાન્યાસ તો થયો પરંતુ આગળના બાંધકામ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. હિંદુ સમુદાયને લાગ્યું કે તેમની આસ્થા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને મુસ્લિમ સમુદાયને બંધારણ પર નિયંત્રણ જાળવી રાખવાનો અધિકાર મળી રહ્યો છે. ૧૯૯૨માં માળખાના પતન પછી ઘણા ટીકાકારોએ કહ્યું કે, તે લોકશાહીના સિદ્ધાંતો માટે એક મોટો પડકાર સાબિત થશે.

ઉત્તર પ્રદેશમાં વર્ષો સુધી ચાલેલ અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના ર્નિણયને નવા પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, ૯ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચુકાદો આપ્યો હતો કે, આ જમીન મંદિરની છે. જૂના પુસ્તકમાં કેટલાક અખબારના કટીંગની તસવીરો સામેલ કરવામાં આવી હતી જેમાં બાબરીના ધ્વંસ પછી કલ્યાણ સિંહ સરકારને હટાવવાના આદેશનો સમાવેશ થાય છે. આ હવે દૂર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, એનસીઈઆરટી પુસ્તક ૨૦૧૪થી ચોથી વખત અપડેટ કરવામાં આવ્યું છે. એપ્રિલમાં એનસીઈઆરટી એ કહ્યું હતું કે, પ્રકરણોમાં ફેરફારો કરવામાં આવે છે અને રાજકારણમાં તાજેતરના વિકાસના આધારે નવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે.

જો કે, જૂની પાઠ્‌ય પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, ૧૬મી સદીમાં મુગલ બાદશાહ બાબરના કમાન્ડર મીર બાકીએ બાબરી મસ્જિદ બનાવી હતી. હવે આ પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૫૨૮માં શ્રી રામના જન્મસ્થળ પર ત્રણ ગુંબજનું માળખું બનાવવામાં આવ્યું હતું. જોકે આ બંધારણમાં ઘણા હિંદુ પ્રતીકો હતા. આ સિવાય અંદરની અને બહારની દીવાલો પર શિલ્પો હતા. જૂના પુસ્તકમાં બે પાનામાં જણાવવામાં આવ્યું હતું કે, ૧૯૮૬માં ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના મસ્જિદને ખોલવાના ર્નિણય બાદ કેવી રીતે એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. ૧૯૯૨માં રામ મંદિરના નિર્માણ માટે રથયાત્રા અને કાર સેવાને કારણે સાંપ્રદાયિક તણાવ ઉભો થયો હતો. આ પછી ૧૯૯૩માં કોમી રમખાણો થયા હતા. આ વખતે કહેવામાં આવ્યું છે કે, ભાજપે અયોધ્યાની ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

એનસીઈઆરટીના ડાયરેક્ટર દિનેશ સકલાણીએ રવિવારે જણાવ્યું હતું કે શાળાઓમાં ઇતિહાસને તથ્યોથી વાકેફ કરવા માટે ભણાવવામાં આવે છે અને તેને યુદ્ધનું મેદાન બનાવવા માટે નહીં. પાઠ્‌યપુસ્તકોનું રિવિઝન વિષય નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે, હું પ્રક્રિયામાં દખલ કરતો નથી.
ડાયરેક્ટર દિનેશ સકલાનીએ આરોપો પર ખુલાસો કરતા કહ્યું કે અભ્યાસક્રમને ભગવાકરણ કરવાનો કોઈ પ્રયાસ નથી. પાઠ્‌યપુસ્તકોમાં તમામ ફેરફારો પુરાવા અને તથ્યો પર આધારિત છે.
એનસીઈઆરટીનાં પ્રમુખે પાઠ્‌યપુસ્તકોમાંથી ગુજરાત રમખાણો અને બાબરી મસ્જિદ સંબંધિત સંદર્ભો દૂર કરવા પર કહ્યું કે, અમારે વિદ્યાર્થીઓને રમખાણો વિશે કેમ શીખવવું જોઈએ. તેનો હેતુ હિંસક, હતાશ નાગરિકો બનાવવાનો નથી. પાઠયપુસ્તકોનું પુનરાવર્તનએ વૈશ્વિક પ્રથા છે. આ શિક્ષાનાં હિતમાં છે.
દિનેશ સકલાણીએ પુસ્તકોમાંથી ગુજરાત રમખાણો-બાબરી મસ્જિદના વિષયો દૂર કરવા પર કહ્યું જો કંઈક અનિચ્છનિય બને છે તો તેને બદલવું પડશે. શાળાઓમાં ઈતિહાસ તથ્યોથી વાકેફ કરવ માટે ભણાવવામાં આવે છે. તેને યુદ્ધનું મેદાન બનાવવા માટે નહીં. ધૃણા અને હિંસાએ શાળાઓમાં ભણાવવાના વિષયો નથી. પાઠયપુસ્તકોમાં તેના પર ભાર મૂકવો જોઈએ નહીં. પુસ્તકોનું પુનરાવર્તન વિષય નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે, હું પ્રક્રિયામાં દખલ કરતો નથી.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/