fbpx
રાષ્ટ્રીય

કથિત દારુ નીતિ કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૩ જુલાઈ સુધી લંબાવી

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટેના ર્નિણયથી ફરી એક વખત ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૩ જુલાઈ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. આ દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલને કહ્યું કે જો તમે કોર્ટને કંઈક કહેવા માંગતા હોવ તો કહો. તેના પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું કંઈ કહેવા માંગતો નથી. મારા વકીલો ત્યાં છે.

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર આંચકો લાગ્યો છે. બુધવારે (૧૯ જૂન), દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૩ જુલાઈ સુધી લંબાવી છે. મુખ્યમંત્રી કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થતાં આજે તેમને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમની સાથે આ કેસમાં આરોપી ગણાતા વિનોદ ચૌહાણને પણ રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ બંનેની જ્યુડિશિયલ કસ્ટડી ૩ જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી. જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મની લોન્ડરિંગ કેસમાં ૨૧ માર્ચ, ૨૦૨૪ના રોજ તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

જો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ૨૧ માર્ચે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેમને દિલ્હીની તિહાર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે તેમને લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે ૨૧ દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી કેજરીવાલે ૨ જૂને તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. તે પહેલા શુક્રવારે દિલ્હીની એક કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલની અરજી પર તિહાર જેલ પ્રશાસનનો જવાબ માંગ્યો હતો

જેમાં તેમની પત્નીને તેમની સ્વાસ્થ્યની સ્થિતિ અને સારવાર નક્કી કરવા માટે રચવામાં આવેલા મેડિકલ બોર્ડમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી હતી. નોંધનીય છે કે મુખ્યમંત્રી કેજરીવાલે કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી છે જેમાં તેમની પત્નીને વીડિયો કોન્ફરન્સ દ્વારા મેડિકલ બોર્ડમાં સામેલ થવાની પરવાનગીની વિનંતી કરવામાં આવી છે.કોર્ટમાં સુનાવણી દરમિયાન, કેજરીવાલના વકીલે તેમની ન્યાયિક કસ્ટડી વધારવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે તેમની કસ્ટડી વધારવાનો કોઈ આધાર નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/