આસામ સરકારના ગૃહ અને રાજકીય વિભાગના સચિવ શિલાદિત્ય ચેટિયાએ હોસ્પિટલના આઈસીયુમાં કર્યો આપઘાત
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/10-13-1140x620.jpg)
આસામમાંથી એક ખુબજ ચોંકાવનારા સમાચાર આવ્યા હતા જેમાં રાજ્ય સરકારના ગૃહ અને રાજકીય વિભાગના સચિવ શિલાદિત્ય ચેટિયાએ ગુવાહાટીમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, ચેટિયાએ પોતાના માથામાં પિસ્તોલથી ગોળી મારી હતી જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરયા હતા.
રાજ્યના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણે હોસ્પિટલમાં તેની પત્નીના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી તરત જ આ પગલું ભર્યું હતું. તે કેન્સર સામે લડી રહી હતી. પોલીસને શંકા છે કે ચેટિયા, ૨૦૦૯ બેચના આઈપીએસ અધિકારીએ તેમની પત્નીના મૃત્યુ પછી ભારે શોકને લીધે આત્મહત્યા કરી હતી. રાજ્યના ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા પહેલા, સિલાદિત્ય ચેટિયાએ તિનસુકિયા અને સોનિતપુર જિલ્લાના એસપી અને આસામ પોલીસની ૪થી બટાલિયનના કમાન્ડન્ટ તરીકે કામ કર્યું હતું.
Recent Comments