fbpx
રાષ્ટ્રીય

તિહાર જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકોકેસની સુનવણી પુરી ના થાય ત્યાં સુધી અરવિંદ કેજરીવાલના જમીન પર દિલ્હી હાઇકોર્ટનો સ્ટે

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને વધુ એક મોટો આંચકો મળ્યો છે, તેમના વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યું છે. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના તિહાર જેલમાંથી જામીન પર સ્ટે આપવામાં આવ્યો છે. ઈડી દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જામીનને પડકાર્યો છે. કેજરીવાલની તિહાર જેલમાંથી મુક્તિ પહેલા ઈડી દિલ્હી હાઈકોર્ટ પહોંચી ગઈ છે. હવે દિલ્હી હાઈકોર્ટે તેમની મુક્તિ પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી ઈડીની અરજી પર સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી અરવિંદ કેજરીવાલના જામીન પર રોક રહેશે. દારૂ કૌભાંડમાં કેજરીવાલની કથિત સંડોવણીની તપાસ કરતી એજન્સીએ હાઈકોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. ગઈકાલે એટલે કે ૨૦ જૂને મોડી સાંજે, રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલને રૂ. ૧ લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. જામીન મળ્યા બાદ જ ઈડી દ્વારા તેને પડકારવાનો ર્નિણય લીધો હતો.

ઈડી ની અરજી પર સુનાવણી કરતી દિલ્હી હાઈકોર્ટની બેન્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર સ્ટે મુક્યો છે. હાઈકોર્ટે ઈડીની અરજી પર સુનાવણી સુધી કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી છે.દિલ્હી હાઈકોર્ટમાં આપ નેતા અરવિંદ કેજરીવાલના જામીન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં ઈડીએ કહ્યું છે કે દિલ્હીના સીએમના જામીન કેસને અસર કરી શકે છે. ઈડી એ દિલ્હી હાઈકોર્ટને તાત્કાલિક કેજરીવાલના જામીન પર રોક લગાવવા કહ્યું છે. ઇડી ઇચ્છે છે કે દિલ્હી હાઇકોર્ટ તાત્કાલિક રૂઝ એવન્યુ કોર્ટના આદેશ પર સ્ટે આપે. ઈડી તરફથી હાજર રહેલા એડવોકેટ એસવી રાજુએ જણાવ્યું હતું કે ગઈ કાલે રાત્રે ૮ વાગ્યે જામીનનો ર્નિણય સંભળાવવામાં આવ્યો હતો. ઓર્ડર પણ અપલોડ કરવામાં આવ્યો ન હતો અને અમને જામીનને પડકારવાની યોગ્ય તક આપવામાં આવી ન હતી.

ગુરુવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત આપતા જામીન મંજૂર કર્યા હતા. કેજરીવાલ દારૂની નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં છે. વિશેષ ન્યાયાધીશ ન્યાય બિંદુએ આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનર કેજરીવાલને રૂ. ૧ લાખના અંગત બોન્ડ પર આ રાહત આપી હતી. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કેજરીવાલના જામીનના આદેશને ૪૮ કલાક માટે સ્ટે આપવાની વિનંતીને પણ ફગાવી દીધી હતી. જો કે, કોર્ટે મુખ્યમંત્રીને રાહત આપતા પહેલા કેટલીક શરતો લાદી હતી. શરતોમાં એ પણ સામેલ છે કે તે તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે. ન્યાયાધીશે કેજરીવાલને જરૂર જણાય તો કોર્ટમાં હાજર રહેવા અને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે.

આ પહેલા કોર્ટે ઈડીની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. ઈડી વતી એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ કોર્ટને કહ્યું હતું કે કેજરીવાલ વિરુદ્ધ મજબૂત પુરાવા છે અને તેથી તેમને જામીન ન મળવા જોઈએ. બચાવ પક્ષે દાવો કર્યો હતો કે ઈડી પાસે કેજરીવાલને દોષિત ઠેરવવાના કોઈ પુરાવા નથી. આ આખો મામલો માત્ર કલ્પના પર આધારિત છે. કેજરીવાલની ૨૧ માર્ચે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને ૧ એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચૂંટણી સમયે કેજરીવાલને ૨૧ દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. ૨૧ દિવસ સુધી જામીન પર બહાર રહ્યા બાદ કેજરીવાલે ૨ જૂને સાંજે ૫ વાગ્યે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. આ પહેલા બુધવારે મુખ્યમંત્રીની જ્યુડિશિયલ કસ્ટડી સમાપ્ત થઈ ગઈ હતી, જેને કોર્ટે ૩ જુલાઈ સુધી લંબાવી હતી.
કેજરીવાલની રિલીઝ પર પ્રતિબંધ બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘મોદી સરકારની ગુંડાગીરી જુઓ. ટ્રાયલ કોર્ટનો આદેશ હજુ આવ્યો નથી. જ્યારે આદેશની નકલ પણ પ્રાપ્ત થઈ ન હતી, ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) કયા આદેશને પડકારવા માટે હાઈકોર્ટમાં ગઈ હતી?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/