fbpx
રાષ્ટ્રીય

અપરાજિતા મહિલા અને બાળકો બિલ ૨૦૨૪ પર ચર્ચા દરમિયાન સીએમ મમતાનું તીક્ષ્ણ વલણ જાેવા મળ્યું

ટ્રેનમાં બળાત્કાર થાય તો આપણે કેવી રીતે જવાબદાર?… ઃ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વિધાનસભામાં ભાજપને ઘેરી લીધું સીએમ મમતાએ ગૃહમાં કહ્યું કે કોલકાતા રેપ કેસ પર તેમને વડાપ્રધાન મોદી તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું અને અપરાજિતા મહિલા અને બાળકો બિલ ૨૦૨૪ રજૂ કર્યું. મુખ્યમંત્રીએ તેને ઐતિહાસિક ગણાવ્યું. ગૃહમાં વિરોધ પક્ષ ભાજપે બિલને સમર્થન આપ્યું હતું. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે ભાજપ અપરાજિતા બિલનું સમર્થન કરે છે.

બિલ પર ચર્ચા દરમિયાન સીએમ મમતાનું તીક્ષ્ણ વલણ પણ જાેવા મળ્યું. તેમણે પીએમ મોદી પર પણ પ્રહારો કર્યા હતા. સીએમ મમતાએ ગૃહમાં કહ્યું કે કોલકાતા રેપ કેસ પર તેમને વડાપ્રધાન મોદી તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. ભાજપનું કહેવું છે કે અમારા રાજ્યમાં ટ્રેનમાં બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ થાય છે. હું પૂછવા માંગુ છું કે, જાે ટ્રેનમાં બળાત્કાર જેવા ગુનાઓ બંગાળમાં થાય છે તો શું તેના માટે બંગાળ સરકાર જવાબદાર છે? છેવટે, અમને જણાવો કે રેલ્વે પર કોણ નિયંત્રણ કરે છે.

બીજેપી પર સીએમ મમતાના પ્રહારો અહીં જ અટકી ગયા. તેમણે કહ્યું કે ભાજપ ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને હાથરસ બળાત્કારના મામલા અંગે કેમ વાત નથી કરતી. બળાત્કારના કિસ્સા માનવતા સામે અભિશાપ છે. આવા ગુનાઓને રોકવા માટે કાયદાકીય સુધારાની સાથે સામાજિક સુધારાની પણ જરૂર છે. અપરાજિતા બિલ પાસ થયા બાદ અમે પોલીસમાં સ્પેશિયલ અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરીશું. જે બળાત્કારના કેસોની તપાસ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરશે. બિલ રજૂ કર્યા બાદ સીએમ મમતાએ ગૃહમાં બીજેપીને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે બીજેપી રાજ્યપાલને તેને જલ્દીથી પસાર કરવા કહે. ત્યાર બાદ તેનો અમલ કરવાની જવાબદારી અમારી રહેશે. અમે સીબીઆઈ પાસેથી ન્યાય ઈચ્છીએ છીએ. ગુનેગારને ફાંસીની સજા મળવી જાેઈએ. અપરાજિતા બિલ દ્વારા અમે કેન્દ્રીય કાયદાની ખામીઓને દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો છે.

૯ ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં મહિલા ડોક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ વિપક્ષ સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ઝ્રસ્એ ગૃહમાં પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે પીએમ, ગૃહમંત્રી અને તે રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી પણ રાજીનામું માંગવું જાેઈએ જેઓ મહિલાઓની સુરક્ષા માટે અસરકારક કાયદાનો અમલ કરી શક્યા નથી. વિધાનસભામાં વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે અમે બિલને સમર્થન આપીએ છીએ. પાસ થયા બાદ રાજ્ય સરકારે તેનો તાત્કાલિક અમલ કરવો જાેઈએ. ટીએમસી સરકાર બળાત્કાર અને યૌન શોષણની ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે. મમતા સરકારે આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટરની હત્યાના વિરોધ અને લોકોના ગુસ્સાથી ધ્યાન હટાવવા માટે આ બિલ રજૂ કર્યું છે. આ સરકાર અગાઉની ઘટનાઓમાં ગુનેગારો સામે કાર્યવાહી કરી શકી નથી.

બળાત્કાર અને હત્યા કરનાર ગુનેગાર માટે મૃત્યુદંડ
ચાર્જશીટ દાખલ કર્યાના ૩૬ દિવસની અંદર મૃત્યુદંડની જાેગવાઈ
તપાસ ૨૧ દિવસમાં પૂરી કરવાની રહેશે
ગુનેગારને મદદ કરનારને ૫ વર્ષની કેદ
દરેક જિલ્લામાં વિશેષ અપરાજિતા ટાસ્ક ફોર્સ
ટાસ્ક ફોર્સ બળાત્કાર, એસિડ એટેક અને છેડતી જેવા કેસમાં કાર્યવાહી કરશે
બળાત્કારની સાથે એસિડ એટેકને પણ એટલી જ ગંભીર શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. આ માટે આજીવન કેદ
પીડિતાની ઓળખ જાહેર કરનારને ૩-૫ વર્ષની સજા થશે
બળાત્કારના કેસોની તપાસ અને સુનાવણી ઝડપી બનાવવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જાેગવાઈઓમાં સુધારો.
તમામ જાતીય ગુનાઓ અને એસિડ હુમલાના કેસોની સુનાવણી ૩૦ દિવસમાં પૂર્ણ કરવાની જાેગવાઈ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/