fbpx
રાષ્ટ્રીય

કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાશે, તે માટે કમર કસી રહ્યા છે તમામ પક્ષોચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે દાવો કર્યો

“આ વખતે જમ્મુ-કાશ્મીરમાં પૂર્ણ બહુમતવાળી સરકાર નહીં બને” કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેના માટે તમામ પક્ષો કમર કસી રહ્યા છે. ભાજપે મુસ્લિમ ઉમેદવારો પર દાવ રમ્યો છે, જ્યારે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે, પરંતુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે તમામ પક્ષોના વચનોને પોકળ ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે આ વખતે રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર નહીં બને. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદે કહ્યું કે ચૂંટણીમાં તમામ પક્ષો જે દાવા કરી રહ્યા છે તે પોકળ છે, જાેકે હું નાદુરસ્ત હતો, અમે આ ચૂંટણીઓમાં જે કરવા માગતા હતા તે કરી શક્યા ન હતા, પરંતુ અહીં અમારી પાસે ૨૦ થી ૨૨ યુવાનો છે. જેઓ ચૂંટણી લડી રહ્યા છે હું તેમના માટે ચૂંટણી રેલી પ્રવાસ પર આવ્યો છું. આશા છે કે જનતા અમારા ઉમેદવારોને જીતનું સમર્થન આપશે.

તેમણે વધુમાં કહ્યું કે અમને એ વાતથી દુઃખ છે કે આ ૧૦ વર્ષમાં ત્રણ વખત ચૂંટણીઓ થઈ અને જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જાે છીનવાઈ ગયો. અમે તેનાથી ખૂબ જ દુખી છીએ. મેં રાજ્યસભામાં મારા ભાષણમાં પણ કહ્યું હતું કે રાજ્યને રાજ્યનો દરજ્જાે પાછો મળવો જાેઈએ, આજે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સભાઓમાં તે વિશે બોલી રહ્યા છે. આ સિવાય ગુલાબ નબી આઝાદે એન્જિનિયર રશીદના જામીન અંગે કહ્યું કે તે સારી વાત છે કે તેને જામીન મળ્યા અને જાે કોઈ નિર્દોષ હોય તો તેને પણ સરકારે જામીન આપવા જાેઈએ. સરકારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પર ઘણું કામ કર્યું છે, પરંતુ કેટલાક સમયથી આતંકવાદ ચોક્કસપણે વધ્યો છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં અમારો ઉદ્દેશ્ય લોકોની સેવા કરવાનો છે અને અમારો એજન્ડા વિકાસ અને યુવાનોને રોજગાર આપવાનો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/