fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીની જીભ કાપનારને ૧૧ લાખ રૂપિયાનું ઈનામ આપીશઃ શિંદે જૂથના ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન

મહારાષ્ટ્રમાં શિંદે જૂથના શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ગાયકવાડે કહ્યું કે જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને ૧૧ લાખ રૂપિયાનું ઈનામ આપશે. ગાયકવાડે વધુમાં કહ્યું કે,”મારું આ નિવેદન મારી પ્રસિદ્ધિ માટે નથી, આપણે પછાત વર્ગો અને ઓબીસીની દુર્દશા જાેઈ રહ્યા છીએ. આજે આપણે એ સમાજને આપણી સાથે લાવવાની જરૂર છે. તેમની વેદનાને ધ્યાનમાં રાખીને મેં આ નિવેદન આપ્યું છે”.

શિવસેનાના ધારાસભ્યએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ ખતરામાં છે. આવી નકલી વાતો ફેલાવીને લોકોના મત લીધા અને આજે તેઓ અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. આજે તેઓ પછાત લોકો અને આદિવાસીઓ માટે અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. રાહુલે જે ભાષા બોલી છે કે તેઓ અનામત ખતમ કરી દેશે. હું કહું છું કે જે કોઈ રાહુલની જીભ કાપશે તેને હું ૧૧ લાખ રૂપિયા આપીશ. રાહુલ ગાંધી પછાત લોકો, આદિવાસીઓ અને અન્ય લોકો માટે ૧૦૦ ટકા આરક્ષણ સમાપ્ત કરવા માંગે છે. આરક્ષણ ખતમ કરવાની ઈચ્છા તેમના મનમાં આવી. કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવ્યો.

સંજય ગાયકવાડ પહેલા કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવનીત સિંહ બિટ્ટુએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેણે રાહુલને આતંકવાદી કહ્યા છે. બિટ્ટુએ કહ્યું કે, રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે, રાહુલ ગાંધીને પોતાના દેશ પ્રત્યે બહુ પ્રેમ નથી. તેણે કહ્યું કે સૌથી પહેલા તે ભારતીય નથી. તેમણે દેશની બહાર ઘણો સમય વિતાવ્યો છે. તેઓ બહાર જાય છે અને બધું ખોટું કહે છે. દેશની સુરક્ષા એજન્સીએ તેની ધરપકડ કરીને તપાસ કરવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/