જામનગરમાં કોરોના સંપૂર્ણ કાબૂમાં આવતા મેલેરિયાના ૧૭ કેસ નોંધાતા ચકચાર
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/06/image_1624515915.jpg)
રાજ્યમાં કોરોના મહામારીએ જબરદસ્ત ભરડો લીધો હતો. હવે કોરોનાની ત્રીજી લહેરને લઈને વાતો કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોરોના કંટ્રોલમાં આવતા હવે મેલેરિયા દેખાયો છે. હાલ જામનગર શહેરમાં મેલેરીયાના ૧૭ કેસ સામે આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
જામનગર જિલ્લામાં જૂન મેલેરિયા વિરોધી મહિનામાં ૨૨ દિવસમાં ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી અંતર્ગત ૧૦૧૫૦ લોકોના લોહીના નમૂનાની તપાસ કરવામા આવી હતી. જેમાં અત્યાર સુધીમાં ૧૦,૧૫૦ લોકોના લોહીના નમૂના લઇ તેનું લેબોરેટરી પરિક્ષણ કરાતા મેલેરિયાના ૧૭ પોઝીટીવ કેસ નોંધાયા હતાં. આ દર્દીઓને જરૂરી સારવાર આરોગ્ય કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે, શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કે સામુહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરી લોહીની તપાસ કરાવવા અનુરોધ કરાયો છે.
Recent Comments