fbpx
સૌરાષ્ટ - કચ્છ

તળિયા ઝાટકઃ રાજકોટ મેયરે સૌની યોજનામાંથી પાણી આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા પીવાના પાણી માટે આવેલા જળાશયોના પણ તળિયા દેખાવા લાગ્યા છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે ઝ્રસ્ને પત્ર લખી સૌની યોજનાથી ૧૫૦ સ્ઝ્રહ્લ્‌ પાણીનો જથ્થો આપવા માગણી કરી છે. અને પત્રમાં લખ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં રોજ ૨૦ મિનીટ જ પાણી વિતરણ કરવું પડકારભર્યું બનશે. આ મુદ્દે વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ મનપા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શહેરમાં નાગરિકો દ્વારા પાણીનો વેરો ભરવામાં આવે છે છતાં પણ લોકોને પૂરતું પાણી મળતું નથી. હવે જાે મનપા સરકારને પાણીનો વેરો નહીં પહોંચાડે તો કોંગ્રેસ પાણીના પૈસા સરકારને પહોંચાડશે.

હાલ રાજકોટમાં આજીડેમ, ન્યારી ડેમ અને ભાદર ડેમમાંથી પાણીનો જથ્થો શહેરમાં વિતરણ કરવામાં આવે છે. પરંતુ હાલ આજી-ન્યારીડેમમાં ૨૫ ટકા અને ભાદર ડેમમાં માત્ર ૨૦ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. જાેકે આ જથ્થો ૩૧ જુલાઈ સુધી જ ચાલે તેમ છે. ત્યારે વધુમાં વિપક્ષી કોંગી નેતાએ જણાવ્યું હતું કે, મેયરે ઝ્રસ્ને પાણી મુદ્દે પત્ર લખ્યો તેને હું બિરદાવું છું. પણ પાણી બાબતે રાજકારણ ન થવું જાેઈએ. આજે મેં આજીડેમની મુલાકાત લીધી, ડેમમાં પણ ૩ ફૂટ કરતા નીચુ પાણી છે. જે પાણીની અછત દર્શાવે છે. આ ઉપરાંત વોર્ડ નં.૪માં પીવાનું પાણી સમયસર આવતું નથી અને જ્યાં આવે છે ત્યાં ડહોળું પાણી આવે છે માટે પાણી બાબતે રાજકારણ ન થવું જાેઈએ. મનપા એ આ સમસ્યાની જલ્દીથી જલ્દી ઉકેલ લાવવો જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/