fbpx
વિડિયો ગેલેરી

ખરેખર લોકોના હિત માટે વંદે ભારતનું ભાડું ઘટાડી રહી છે ભારતીય રેલ્વે

તાજેતરમાં જ રેલ્વેએ દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની કેટલીક ટ્રેનોના ભાડામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રેલવેના જણાવ્યા અનુસાર ઘણા લોકોને આનાથી ફાયદો થવાની આશા છે. જાે ભાડું ઓછું હશે તો દરેક વ્યક્તિ તેના દ્વારા મુસાફરી કરી શકશે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે વંદે ભારત ટ્રેન દોડાવવાથી રેલવેને વધુ ફાયદો નથી મળી રહ્યો. તો આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું રેલવે ખરેખર લોકોના હિત માટે વંદે ભારતનું ભાડું ઘટાડી રહી છે. તમને જણાવી દઈએ કે, અત્યારે વંદે ભારતનું ભાડું તમામ વર્ગના લોકો માટે અનુકૂળ નથી.

આ કારણોસર, રેલ્વે આ ટ્રેનને તમામ લોકો માટે અનુકૂળ બનાવવા માટે ભાડું ઘટાડવાનું વિચારી રહી છે. પરંતુ તેની પાછળ કેટલાક અન્ય કારણો પણ છે, તો ચાલો જાણીએ ટ્રેનનું ભાડું ઘટાડવા પાછળનું કારણ શું છે. રેલ્વેના જણાવ્યા અનુસાર હાલમાં ટૂંકા રૂટની ટ્રેનોને બાદ કરતા તમામ ટ્રેનો પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે દોડી રહી છે. ટૂંકા રૂટની ટ્રેનોમાં ઓછા લોકો મુસાફરી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, આ રૂટની ટ્રેનોના ભાડાને ધ્યાનમાં રાખીને, રેલ્વે ફેરફાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે, વંદે ભારતની સૌથી ઓછા અંતરની ટ્રેન ૩ કલાકની છે અને સૌથી લાંબી મુસાફરીનો સમય ૧૦ કલાકની છે. ૩ કલાકનો સમય લેતી ટ્રેનોમાં મુસાફરી કરવા માટે લોકોનું વલણ ઓછું છે. જ્યારથી વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી રેલવેએ નોંધ્યું કે કેટલાક રૂટ પર તેના ઘણા કોચ ખાલી છે. તે જ સમયે, ટૂંકા અંતરની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં આ સમસ્યા વધુ જાેવા મળી છે.

ટ્રેનોની સીટો સંપૂર્ણ રીતે ન ભરવાને કારણે રેલવેને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં રેલવે તે ટ્રેનોનું ભાડું ઘટાડવાનું વિચારી રહી છે. જે ટ્રેનોમાં ઓક્યુપેન્સી ઓછી છે અને લોકો જતા નથી. રેલવે આ ટ્રેનોને ભાડે આપી શકે છે. આ યાદીમાં ઈન્દોર-ભોપાલ, ભોપાલ-જબલપુર અને નાગપુર-બિલાસપુર રૂટની ટ્રેનોનો સમાવેશ થાય છે. વંદે ભારતમાં ટ્રેનના આ રૂટ માટે ટ્રેનમાં સફર કરવા ભાડું ઘણું વધારે છે… મળતી માહિતી મુજબ જણાવીએ તો, ભોપાલ-ઈન્દોર વંદે ભારતમાં માત્ર ૨૯ ટકા ઓક્યુપન્સી અને ઈન્દોર-ભોપાલ વંદે ભારત એક્સપ્રેસની રિટર્ન ટ્રેનમાં ૨૧ ટકા ઓક્યુપન્સી નોંધાઈ છે. આ બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ત્રણ કલાકથી ઓછો છે. આવી સ્થિતિમાં, આ રૂટ માટે ટ્રેનનું ભાડું ઘણું વધારે છે, તેથી રેલવે તેને ઘટાડવાનું વિચારી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/