અમરેલીમાં કોરોના વધુ 17 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 175 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3357 પર
અમરેલી જિલ્લામાં આજે 17 પોઝિટિવ કેસ નોંધાયા સામે 15 કેસો ડિસ્ચાર્જ.
અમરેલી જિલ્લામાં છેલ્લા દિવસોમાં પોઝિટિવ કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે સામે રિકવરી રેટ પણ સારો સુધારો થયો હોવાથી કોરોના દર્દીઓ કોરોના મુક્ત થઈ ડિસ્ચાર્જ પણ વધુ થઈ રહ્યા છે જે રાહત આપે છે. તંત્ર કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે તેમાં લોકોને સહકાર આપવા વિનંતી છે. અત્યારે માસ્ક જ વેકસીન હોવાથી માસ્ક ફરજીયાત પહેરી સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અવશ્ય કરી પોતાને અને પરિવારને સુરક્ષિત રાખો. આજ તા. 12 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 175 દર્દીઓ છે. આજે 15 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 39 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3357 પર પહોંચ્યો છે.
Recent Comments