fbpx
અમરેલી

રાજય સરકાર દ્રારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજયનાં ખેડુતોને દિવસે વિજ પુરવઠો મળશે

રાજયનાં ખેડુતોનાં હિતમાં વધુ એક હીતકારી નિર્ણયને આવકારતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા કેન્દ્રની મોદી સરકાર અને રાજય સરકાર હર હંમેશ ખેડુતોનાં હિતમાં વધુમાં વધુ કઈરીતે વધારો કરી શકાય તે બાબતે હરહંમેશ ચિંતા કરી છે . હાલમાં જ ગુજરાત રાજય સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજયનાં ખેડુતોને દિવસે પણ વિજ પુરવઠો આપવાનો નિર્ણય કરેલ છે . જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજયનાં ૧૦૫૫ ગામોમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ દીવસે વિજ પુરવઠો આપવાની શરૂઆત કરવામાં આવી હતી . જેમાં હવે રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ના.મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ , અને રાજયનાં ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ દ્વારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ તબ્બકાવાર ૧૮૦૦૦ ગામોનાં ખેડુતોને દીવસે વિજ પુરવઠો ૨.૫ વર્ષ જેના ટુંકા ગાળામાં અને રૂ .૩૫૦૦ કરોડનાં ખર્ચે આપવાનો નિર્ધાર કરેલ છે . જેમાં અમરેલી જિલ્લાનાં પ્રથમ તબ્બકામાં લાઠી , જાફરાબાદ , ખાંભા , રાજુલા , લીલીયા , અમરેલી અને સારવકુંડલા તાલુકામાં અલગ અલગ દીવસે આ યોજનાની શરૂઆતકરવામાં આવનાર છે . અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ રાજય અને કેન્દ્ર સરકારનાં ખેડુત હીતલક્ષી કિસાન સૂર્યોજન યોજનાને આવકારેલ .

Follow Me:

Related Posts