કાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા, એન.સી.યુ.આઈ.ચેરમેન સંઘાણી, સાંસદ કાછડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ વેકરીયા પોતાના વતનમાં ઉપસ્થિત રહી મતદાન કરશે
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/02/00000-3.jpg)
આજ રોજ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણી યોજાનાર છે ત્યારેકેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા તેમના વતન ઈશ્વરયા ખાતે સવારે કલાકે 7:00 મતદાન કરવા માટે જશે.જ્યારે એન.સી.યુ.આઈ ના ચેરમેન, ઇફ્કો ના વાઇસ ચેરમેન, પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી તેમના વતન માળીલા મુકામેસવારે કલાકે 10:00 મતદાન કરવા માટે જશે, જ્યારે સાંસદ નારણભાઈ કાછડીયા તેમના વતન ચરખડિયા મુકામે સવારે 8.45 કલાકેમતદાન કરવા માટે જશે તેમજ અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા 9:30 કલાકે દેવરાજીયા મુકામે મતદાન કરવામાટે જશે. તેમ જ અમરેલી જીલ્લાની જનતાને કમળના નિશાન ઉપર મતદાન કરવા અને ચુંટણી લડેલ ઉમેદવારને બહુજંગી મતો થી વિજયબનાવવા આહવાન કરેલ. તેમ જીલ્લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયુ છે.
Recent Comments