રાજુલા અને જાફરાબાદ તાલુકાના 22 ગામોમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આપેલ રાશનકીટનું અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગના બહેનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું.
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/05/IMG-20210527-WA0132-1140x578.jpg)
તા.૧૭મે ના રોજ અમરેલી જિલ્લામાં આવેલ “તાઉતે” વાવાઝોડાના કારણે દરિયાઇ કાંઠાના તાલુકા રાજુલા અને જાફરાબાદમાં ખુબજ નુકસાન થયેલ દરિયાઇ પાણી મકાનોમાં ઘૂસી જતાં ખાદ્ય સામગ્રી નાશ પામેલ, પવનના કારણે વીજ પોલ પડી જતાં લાઈટ બંધ થયેલ તેથી લોકો અનાજ પણ દળાવી ન શકે તેવી પરિસ્થિતિ થતા માનનીય કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ જસદણ, વિછીયા તથા સાયલા તાલુકાનાં દાતાઓ અને જસદણ અને વીછીયા તાલુકાની આરોગ્ય ટીમની મદદથી રાજુલા, જાફરાબાદના કુલ – ૨૨ ગામોમાં પોતે પ્રવાસ કરીને આગેવાનો,જરૂરિયાત મંદ લોકોને મળીને કીટ વિતરણ કરેલ અને દવાનું વિતરણ કરેલ મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ અમરેલી તેમની સાથે મદદમાં જોડાયેલ, અસરગ્રસ્ત લોકો અને મહિલાઓને કીટ મળતા તેમને ખુબજ સાત્વના મળેલ છે અને તેમના આંસુ લૂછેલ છે મહિલા સામખ્ય અમરેલી જિલ્લા સંકલન અધિકારી ઈલાબેન ગૌસ્વામી દ્વારા યાદી મળેલ છે.
Recent Comments