કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/06/Meeting-1-1140x521.jpg)
અમરેલીના સર્કીટ હાઉસ ખાતે આજે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાનની અધ્યક્ષતામાં અને સાંસદ શ્રી નારણભાઇ કાછડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લામાં આવેલ ડેમો અંગે તેમજ તેના સમારકામની કામગીરી હેઠળના ભાગો વિશે તથા આગામી દિવસોમાં વરસાદના પાણી અંગે ઉદભવતી સમસ્યાઓના નિરાકરણ વિશે જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં અમરેલી જિલ્લામાં આવેલા તાઉતે વાવાઝોડાંની ગંભીર અસરને પગલે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments