તોૈકતે વાવાઝોડાથી થયેલ નુકશાનીનું વળતર તત્કાલ ચુકવવાની માંગ કરતા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
તોૈકતે વાવાઝોડાથી થયેલ નુકશાનીનું સર્વે કર્યા બાદ આજે એક મહીના કરતા પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં પણ સરકારી
તંત્ર દ્રારા હજુ નુકશાનીના વળતર પેટે મળતી સહાયની રકમથી ઘણાં લોકો વંચિત છે, ગામડાના ગરીબ તથા મજુર લોકો તથા ખેડુતો પોતાના ઘરના ગુજરાન ચલાવવાનું પણ મુશ્કેલ બની ગયુ છે ત્યારે સરકાર દ્રારા મળવાપાત્ર થતી સહાયની રકમ તત્કાલ ચુકવવામાં આવે.
તો ગરીબ માણસોને રહેવા માટેનું આસીયાનું છે નહી તેવા લોકો ચોમાસાની સીઝન હોવાથી તત્કાલ મકાન બનાવી શકે, તથા ખેડુતોને ચોમાસાની સીઝન હોવાથી ખાતર,બીયારણની વ્યવવસ્થા કરી શકાય આથી ત્વરીત સહાયની રકમ લોકોના બેન્ક ખાતામાં જમા કરવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસના યુવા પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.
Recent Comments