fbpx
અમરેલી

“ઘર ફૂટયે ઘર જાય” અમરેલી આપમાંથી સસ્પેન્ડ કરાયેલ નાથાલાલ સુખડીયાએ પ્રેસકોન્સફરન્સ કરી આપમાં દાગીઓના ભરતી મેળા સામે નારાજગી, આપમાં પ્રવેશ આપનારનું “આવ ભાઈ હરખા આપણે બેઇ ભાઈ સરખા”

અમરેલી ઈમાનદાર ગણાતી આમ આદમી પાર્ટી ના ભરતી મેળા થી આપ માજ નારાજગી આપ ના મોવડી ની મનમાની ક્યાં સુધી                                અમરેલી જિલ્લામાં આપ ના પાયા ના કાર્યકરો ને આમ આદમી પાર્ટીના સામાન્ય સભ્ય પદેથી સસ્પેન્ડ કરતા  નાથાલાલ સુખડીયા એ પ્રેસ કોન્સફરન્સ કરી અનેકો દિગજ્જ નેતા ઓની ભૂંડી હાર માટે ભ્રષ્ટચાર કથા થી સુવિખ્યાત બનેલ સુખડીયા સહિત સનિષ્ઠ કાર્યકરો ને કાઢવા પાછળ ના સત્ય કારણો આપ્યા  આમ આદમી પાર્ટી ગુજરાત અને દેશમાં સ્થાપિત થઈ ત્યારથી આજ સુધી સ્ટેટ કમિટી અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે અને ૨૦૧૪ માં લોકસભા અમરેલીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લડત આપેલ 

જે સમયે સંગઠન શકિત ઓછી હોવા છતા ૧૫,૩૫૦ / – જેટલા મતો આમ આદમી પાર્ટી ને મળેલ અને પ્રથમ દિલ્હી વિધાન સભા ચુંટણીમાં ૨૦૧૩ માં રોહીણી વિધાનસભામાં ૬ જેટલા અમરેલી જિલ્લામાંથી સનિષ્ઠ કાર્યકરો સાથે ૪૫ દિવસ કામ કરેલ અને ગત ૨૦૨૦ માં વિધાનસભા દિલ્હી ના મટીયાલા વિધાનસભાના ગુલાબસહ યાદવ મતક્ષેત્રમાં અમરેલી જિલ્લાના ૫ લોકોએ ૧૨ દિવસ સુધી સખ્ત પ્રચાર કરેલ ત્યારબાદ ધારી વિધાનસભા પેટા ચુંટણી હોવા છતા ગોપાલ ઈટાલીયાએ સ્વ નિર્ણય કરી આ પેટા ચુંટણી લડવા દિલ્હી ના નેતાઓને ના પાડી દેતા જિલ્લા કક્ષાએ ચર્ચા કર્યા વિના આમ આદમી પાર્ટીના નિર્ણય પાર્ટીનો ગેરબંધારણીય રીતે પાર્ટીમાં ગોપાલ ઈટાલીયા પ્રદેશ પ્રમુખ અને મનોજ સોરઠીયા મંત્રી ના મનધડત નિર્ણયોથી નારાજગી માં ઉતરોતર વધારો અમરેલી જિલ્લા પાયા ના પથ્થર ગણાતા સનિષ્ઠ કાર્યકરો ની સતત અવગણના થી  જિલ્લા પ્રમુખ પદે થી રાજીનામુ આપ્યું સક્યિ કાર્યકર તરીકે સેવા આપી રહેલ નાથાલાલ સુખડીયા સહિત નાઓ દ્વારા ગત જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત અને નગરપાલિકા ચુંટણીમાં મે તન મન ધનથી ઉમેદવારોને મદદ કરી અમરેલી શહેરના ૨૩ ઉમેદવારો અને તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારોને જીતાડવા કેરીયાનાગસ ભંડારીયા ચીતલ મોણપુર અને અમરેલી નગરપાલીકા ના વિવિધ વોર્ડમાં સ્વખર્ચ પત્રિકાઓ છપાવી કાર્યકરો અને ઉમેદવારોનો સતત જુસ્સો વધારા સારા એવા મતો મેળવી અમરેલી તાલુકામાં તાલુકા પંચાયત સિટ દેવળીયા ચકકરગઢ અને લાલાવદર સીટ માત્ર ૭૪૦૦ /જેવા નજીવા ખર્ચ ચુંટણી લડી ખરેખર આમ આદમી ના વિચારધારા મુજબ સીટ જીતવા સફળ થયેલ આમ શકય તમામ પ્રયાસો કરનાર પાયા ના કાર્યકરો ની અવગણના કરી ભાજપ માંથી સાઈડ લાઈન થયેલ દાગી પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ થી હાસિયા પાછળ ધકેલાયેલ મોટા માથા ની આપ માં સીધી ભરતી કરાતા મોવડી ઓ સામે સનિષ્ઠ અને વફાદાર કાર્યકરો માં રોષ ભાજપ કોંગ્રેસ ની વિચારધારથી ગંદી રાજનિતીથી પર રહી તટસ્થ પણે કામકરતા આપ ના સનિષ્ઠ કાર્યકર્તા ઓની  ૩/૯/૨૦૨૧ રોજ અમરેલી સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી જુના આપ ના ચુંટણી ઓમાં ઉમેદવારી કરનાર તાલુકા જિલ્લા અને નગરપાલિકાના કાર્યકરો સાથે પાર્ટીના વર્તમાન પરિસ્થિતિના ધ્યાને લઈ ખુબ જ ઉંડાણ પૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી

અને આમ આદમી પાર્ટીમાં ભાજપ કોગ્રેસ માંથી તકવાદી અને સતા લાલચીઓ જોડાય અને તેને અમરેલી જિલ્લામાં ખાસ આદમી તરીકે જિલ્લા ટીમોમાં હોદાઓ આપી અને જુના અને વિચારધારથી જોડાયેલ સક્ષમ કાર્યકરોની અવગણના કરી આવા તત્વોને જોડવાની પ્રક્રિયા ડાયરેકટ સ્ટેટ લેવલેથી ગોપાલ ઈટાલીયા મનોજ સોરઠીયા ના સીધા આદેશથી થતા અને તાજેતરમાં જ અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલ શરદ લાખાણીને જરૂરીયાત થી વધુ મહત્વ આપી અને અગાઉ થયેલ પ્રિ .પ્લાન મુજબ જિલ્લાના સંનિષ્ઠ કાર્યકારોની જાણ કે હાજરી વગર પ્રવેશ કરી સર્વે સર્વા કરી વિચારધારાથી વિપરીત જોડાણ કરાતા પાર્ટીના બંધારણ મુજબ પ્રાથમિક સમય આપી ત્રણ મહિના સુધી કાર્યકર તરીકે કામ આપવું જોઈએ શરદ લાખાણી  ભાજપ પાર્ટીમાં રહીને ધારી ચુંટણીમાં ભાજપ ને હરાવાનું કામ કરેલ હતું જેથી પાર્ટીએ તેને કચરા ટોપલીમાં નાખી દિધેલ હતા  આવા લોકો પાસે ઈમાનદારી આશા કેવી રીતે રાખી શકીએ જે પાર્ટી અને દિલ્હી કક્ષા સુધી અમરેલી જિલ્લાઓ અવાજ પહોચાડનાર હતા તેમજ મનોજ સોરઠીયા નિમિષા ખુંટ અને ગુલાબસિંહ યાદવ તાજેતરમાં થોડા મહિનાથી અમરેલી જિલ્લાના એક મોટામાથા અને પૈસા પાત્ર ગણાતા સાથે સતત જિલ્લાના કાર્યકરોની જાણ બહાર મિટીંગો કરતા રહ્યા અને આમ આદમી પાર્ટી આવા લોકોને આદર સન્માન આપી પાર્ટી પ્રવેશ કરાવવામાં ગોઠવણ પૂર્વક આયોજન કરતા પાર્ટીના વફાદારો નડતર રૂપ બનશે તેવી દહેશત થી સસ્પેન્ડ સિસ્ટમ ઉભી કરી ૨૦૨૨ ના વિધાનસભા ચુંટણી માં મનોજ સોરઠીયા અને ગોપાઈ ઈટાલીયા આવનાર દિવસોના ભાવી અમરેલી વિધાનસભાના ઉમેદવાર નું  પ્લેટફોર્મ ઉભું કરી રહ્યા છે

ત્યારે આમ આદમી પાર્ટીમાં શામેલ કરવામાં  દાગી ઓનો સખત વિરોધ કરતા આમ આદમી પાર્ટી એક વિચારધારા અને સિસ્ટમ બદલવાની કેજરીવાલજની ઉમદાવિચારધાર મુજબ ભાજપ કોગ્રેસ થી અલગ રાજનિતિ આપવાની ઈમાનદાર કાર્યકરો ની આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લાની આવી અનૈતિક તાકાતની ગંદી રાજનીતીના પૌલાદી પંજા હેઠળ શા માટે પાર્ટી અમરેલી જિલ્લાના ઈમાનદાર કાર્યકરો સતત લડત ચલાવી રાજનીતી બદલાવા સામનો કરતા આવેલ અને જે માણસ ખેડુતોની સંસ્થાઓની મિલ્કતોની અમરેલી જિલ્લામાં વહેચી મારી હોય તેવા માણસો નો પવેશ કરી કરાવી આવ ભાઈ હરખા આપણે બેઇ ભાઈ સરખા ની નીતિ સામે રોષ સાથે પ્રેસકોન્સફરન્સ કરી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/