કેબિનેટ મંત્રી પટેલએ અમરેલી સિવિલ હોસ્પિટલના દર્દીઓના ખબર અંતર પૂછી ફ્રુટનું વિતરણ કર્યુ
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/09/PR-401-Fruit-Distribution-1140x620.jpg)
ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન – નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિભાગોના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે યોજાયેલ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમરેલી સિવિલ હોસ્પિટલના દર્દીઓના ખબર અંતર પૂછી ફ્રુટનું વિતરણ કર્યું હતું. આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા, પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ સિવિલ હોસ્પિટલના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments